વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w18 નવેમ્બર પાન ૩૧
  • વાચકો તરફથી પ્રશ્નો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વાચકો તરફથી પ્રશ્નો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • સરખી માહિતી
  • મહત્ત્વના બનાવો ક્યારે બન્યા
    બાઇબલનો સંદેશો શું છે?
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
w18 નવેમ્બર પાન ૩૧

વાચકો તરફથી પ્રશ્નો

ઈસુએ મરણની આગલી સાંજે દાતાઓ વિશે જણાવ્યું હતું. તેઓ કોણ હતા? તેઓને શા માટે એ ખિતાબ આપવામાં આવ્યો?

બાઇબલ સમયનો દાતા

મરણની આગલી સાંજે ઈસુએ પ્રેરિતોને ઠપકો આપ્યો હતો. ઈસુએ તેઓને જણાવ્યું કે તેઓએ બીજાઓ કરતાં પોતાને ચઢિયાતા ન ગણવા જોઈએ. તેમણે કહ્યું, “દુનિયાના રાજાઓ પ્રજાઓ પર હુકમ ચલાવે છે અને પ્રજાઓ પર જેઓને અધિકાર છે, તેઓ દાતા કહેવાય છે. તેમ છતાં, તમારે એવા ન થવું.”—લુક ૨૨:૨૫, ૨૬.

એ દાતાઓ કોણ હતા? શિલાલેખ, સિક્કા અને લખાણોથી જાણવા મળ્યું છે કે, ગ્રીક અને રોમન સમાજમાં એક રિવાજ હતો. એ રિવાજ પ્રમાણે પ્રખ્યાત પુરુષો અને શાસકોને માન આપવા માટે “દાતા” (યુઅરજીત્સ) ખિતાબ આપવામાં આવતો હતો. તેઓએ સમાજ સેવા કરી હોવાથી તેઓને એ માન આપવામાં આવતું.

ઘણા રાજાઓ દાતાનો ખિતાબ ધરાવતા હતા. જેમ કે, ઇજિપ્તના શાસકો ટોલેમી ત્રીજો (આશરે ઈ.સ. પૂર્વે ૨૪૭-૨૨૨) અને ટોલેમી આઠમો (આશરે ઈ.સ. પૂર્વે ૧૪૭-૧૧૭). રોમન શાસકો જુલીયસ સીઝર (ઈ.સ. પૂર્વે ૪૮-૪૪) અને ઑગસ્તસ (ઈ.સ. પૂર્વે ૩૧-ઈ.સ. ૧૪) તથા યહુદાનો રાજા મહાન હેરોદ. હેરોદે દુકાળ વખતે પોતાના લોકો માટે બહારથી ઘઉં મંગાવ્યા. એવા લોકોને કપડાં આપ્યાં, જેઓને જરૂર હતી. એટલે, તેને એ ખિતાબ મળ્યો હશે.

જર્મન બાઇબલ વિદ્વાન એડોલ્ફ ડાઇસ્મેન જણાવે છે કે આવા ખિતાબો આપવા એ વખતે સામાન્ય હતું. તેમણે કહ્યું: ‘જો એ શોધવા જઈએ તો થોડા સમયમાં એવા ઘણા શિલાલેખો મળી આવશે.’

ઈસુએ તેમના શિષ્યોને કહ્યું, “તમારે એવા ન થવું.” ઈસુ શું કહેવા માંગતા હતા? શું ઈસુ તેઓને એમ કહી રહ્યા હતા કે તેઓએ લોકોનું ભલું ન કરવું જોઈએ? ના, જરાય નહિ. બીજાઓનું ભલું કયા ઇરાદાથી કરવામાં આવે છે, એ વિશે ઈસુ પોતાના શિષ્યોને સમજાવવા માંગતા હતા.

ઈસુના દિવસોમાં કેટલાક પૈસાદાર લોકો બીજાઓ પાસેથી વાહ-વાહ મેળવવા માંગતા હતા. તેઓ મનોરંજન અને રમતગમતના કાર્યક્રમો ગોઠવતા, બગીચા તથા મંદિરો બનાવતા અને એવા ઘણા કાર્યક્રમોમાં મદદ કરતા. જોકે, એ બધું કરવાનો હેતુ પ્રશંસા મેળવવાનો, પ્રખ્યાત થવાનો અને લોકોના મત મેળવવાનો હતો. એક પુસ્તક જણાવે છે: ‘દાન આપનારાઓએ ઉદારતા બતાવી હોય એવા ઘણા દાખલાઓ છે. પણ મોટા ભાગે રાજકારણમાં ફાયદો મેળવવા એમ કરવામાં આવતું હતું.’ ઈસુએ શિષ્યોને અરજ કરી કે પોતાને ચઢિયાતા ન ગણે અને પોતાનો જ ફાયદો જોવાનું વલણ ટાળે.

અમુક વર્ષો પછી પ્રેરિત પાઊલે પણ એ જ વાત સમજાવી. તેમણે ઉદારતા બતાવવાના ખરા કારણ પર ભાર મૂક્યો. તેમણે કોરીંથનાં ભાઈ-બહેનોને લખ્યું: “દરેકે પોતાના દિલમાં જે નક્કી કર્યું હોય એ પ્રમાણે આપવું; કચવાતા દિલે નહિ અથવા ફરજને લીધે નહિ, કેમ કે રાજીખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે.”—૨ કોરીં. ૯:૭.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો