દેવશાહી સેવા શાળા સમીક્ષા
માર્ચ ૭થી એપ્રિલ ૨૫, ૨૦૧૧ દરમિયાન આપણે શાળામાં જે શીખ્યા એ ફરીથી યાદ કરાવવા નીચે પ્રશ્નો આપ્યા છે. એપ્રિલ ૨૫થી શરૂ થતા અઠવાડિયામાં એની ચર્ચા કરવામાં આવશે. સ્કૂલ ઓવરસિયર એ પ્રશ્નોની ૨૦ મિનિટ માટે ચર્ચા કરશે.
૧. “તે દેશના લોકમાંના ઘણાક તો યહુદી થઈ ગયા” એ કેવી રીતે બન્યું? (એસ્તે. ૮:૧૭) [w૦૬ ૩/૧ પાન ૬ ફકરો ૩]
૨. યહોવાહે શા માટે શેતાનને પોતાની આગળ આવવા દીધો? (અયૂ. ૧:૬; ૨:૧) [w૦૬ ૪/૧ પાન ૩ ફકરો ૬]
૩. આનાથી શેતાન શું કહેવા માંગતો હતો: “શું અયૂબ કારણ વગર ઈશ્વરની ભક્તિ કરે છે?” (અયૂ. ૧:૯) [w૯૪ ૧૧/૧ પાન ૧૮ ફકરો ૬]
૪. ‘સંકટ વેઠવાનો’ અને ‘મારા યુદ્ધના સઘળા દિવસોનો’ શું અર્થ થાય? (અયૂ. ૭:૧) [w૦૬ ૪/૧ પાન ૪ ફકરો ૧૦]
૫. આપણે કેમ અલીફાઝ જેવા વિચારો કદી મનમાં ન લાવવા જોઈએ? (અયૂ. ૧૫:૧૬) [w૦૫ ૯/૧૫ પાન ૨૬ ફકરો ૪, ૫]
૬. અયૂબે ૧૯:૨માં જે પોકાર કર્યો એમાંથી આપણે સલાહ આપવા વિષે શું શીખી શકીએ? [w૯૫ ૨/૧૫ પાન ૨૮ ફકરો ૫]
૭. સતાવણીમાં પણ અયૂબની શ્રદ્ધા કેમ અડગ રહી? (અયૂ. ૨૭:૫) [w૦૯ ૪/૧ પાન ૧૪ ફકરો ૧૭]
૮. કોઈને મદદની જરૂર હોય ત્યારે અયૂબની જેમ આપણે શું કરી શકીએ? (અયૂ. ૨૯:૧૨, ૧૩) [w૦૨ ૫/૧૫ પાન ૨૨ ફકરો ૧૯]
૯. અલીહૂની સલાહ કઈ રીતે અયૂબના ત્રણ સોબતીઓની સલાહ કરતાં તદ્દન ભિન્ન હતી? (અયૂ. ૩૩:૧, ૬) [w૯૫ ૨/૧૫ પાન ૨૯ ફકરો ૨]
૧૦. યહોવાહના અજોડ કામો પર મનન કરવાથી આપણા પર કેવી અસર થવી જોઈએ? (અયૂ. ૩૭:૧૪) [w૦૬ ૪/૧ પાન ૬ ફકરો ૪]