પાઠ ૧૭
હવેથી યહોવાને તમારું જીવન સોંપો
ઈશ્વર વિશે શીખતા રહો. આ રીતે તમને ઈશ્વરનો સ્વભાવ ખૂબ જ ગમવા લાગશે. ઈશ્વરના અને ઈસુના પગલે ચાલવા માટે તમારે શું કરવું જોઈએ? (માથ્થી ૨૮:૧૯) ચાલો આપણે જોઈએ:
ઈશ્વરના નિયમો પાળો. જો તમે યહોવાને ખરેખર પ્યાર કરશો, તો તેમના નિયમો પાળવા તમને અઘરા નહિ લાગે. તેમનું કહ્યું કરીને તમે સુખી થશે.—૧ યોહાન ૫:૩.
તમે જે શીખ્યા એ હવે તમારા જીવનમાં ઉતારો. જો ઘરનો પાયો મજબૂત ન હોય, તો ધરતીકંપ વખતે ઘર પડી ભાંગશે. યહોવાનું શિક્ષણ પાક્કા પાયા જેવું છે. જો તમે એ શિક્ષણ જીવનમાં ન ઉતારો તો તમને જ નુકસાન થશે.—માથ્થી ૭:૨૪-૨૭.
યહોવાને તમારું આખું જીવન સોંપી દો. આજથી, તમે યહોવાને પ્રાર્થનામાં કહો કે તમે હવે પૂરા દિલથી તેમની ભક્તિ કરશો.—માથ્થી ૧૧:૨૯.
યહોવાના ભક્ત બનો. તમે જાહેરમાં બતાવી શકો કે તમે જીવનભર યહોવાની ભક્તિ કરશો. એ કઈ રીતે? એક સાદી વિધિથી, યહોવાના ભક્તો સામે તમને પાણીમાં ડુબકી મરાવીને બહાર લાવવામાં આવે છે. આ રીતે તમે યહોવાના એક સાક્ષી બનો છો.—પ્રેરિતોનાં કૃત્યો ૨૨:૧૬.
યહોવાના સાક્ષી તરીકે જીવો. હવે, તમે જીવનભર તન, મન, ધનથી તેમની જ ભક્તિ કરો.—કોલોસી ૩:૨૩.