વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ ફેબ્રુઆરી પાન ૩
  • ઘઉં અને કડવા દાણાનું દૃષ્ટાંત

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઘઉં અને કડવા દાણાનું દૃષ્ટાંત
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • સરખી માહિતી
  • યહોવાહના ભક્તો “સૂરજની પેઠે પ્રકાશશે”
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • ‘જુઓ, હું સર્વકાળ તમારી સાથે છું’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • શું એક જ સાચો ધર્મ છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • સ્વર્ગના રાજ્ય વિશેનાં ઉદાહરણો
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ ફેબ્રુઆરી પાન ૩

બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૧૨-૧૩

ઘઉં અને કડવા દાણાનું દૃષ્ટાંત

ઈસુએ ઘઉં અને કડવા દાણાનું દૃષ્ટાંત આપીને બતાવ્યું કે કઈ રીતે અને ક્યારે તે અભિષિક્તોને આ દુનિયામાંથી એકઠા કરશે, જેની શરૂઆત સાલ ૩૩માં થઈ હતી.

બી વાવવું, કાપણી અને કોઠારમાં ભરવાનો સમયક્રમ

૧૩:૨૪

‘એક માણસે પોતાના ખેતરમાં સારાં બી વાવ્યાં’

  • વાવનાર: ઈસુ ખ્રિસ્ત

  • સારાં બી વાવવામાં આવ્યાં: ઈસુના શિષ્યોને પવિત્ર શક્તિ દ્વારા અભિષિક્ત કરવામાં આવે છે

  • ખેતર: માણસજાતની દુનિયા

૧૩:૨૫

‘રાત્રે બધા સૂતા હતા ત્યારે, તેનો દુશ્મન આવ્યો અને ઘઉંમાં કડવા છોડનાં બી વાવી ગયો’

  • દુશ્મન: શેતાન

  • બધા સૂતા હતા: પ્રેરિતોનું મરણ

૧૩:૩૦

“કાપણી સુધી એ બંનેને ઊગવા દો”

  • ઘઉં: અભિષિક્ત ખ્રિસ્તીઓ

  • કડવા છોડ: કહેવાતા ખ્રિસ્તીઓ

“પહેલા કડવા છોડને ભેગા કરો; પછી ઘઉંને મારા કોઠારમાં ભરો”

  • કાપણી કરનારાઓ/મજૂરો: સ્વર્ગદૂતો

  • ભેગા કરવામાં આવેલા કડવા છોડ: કહેવાતા ખ્રિસ્તીઓને સાચા ખ્રિસ્તીઓથી અલગ કરવામાં આવ્યા

  • કોઠારમાં ભરવું: અભિષિક્ત ખ્રિસ્તીઓને એક શુદ્ધ મંડળ તરીકે એકઠા કરવામાં આવ્યા

કાપણીનો સમય શરૂ થયો ત્યારે, સાચા ખ્રિસ્તીઓ કઈ રીતે કહેવાતા ખ્રિસ્તીઓથી અલગ તરી આવ્યા?

આ દૃષ્ટાંત સમજવાથી મને કઈ રીતે લાભ થઈ શકે?

શું તમે જાણો છો?

ઘઉં અને કડવો છોડ સાથે વધે છે

એવું માનવામાં આવે છે કે, દૃષ્ટાંતમાં જણાવેલા કડવા દાણાનો છોડ એક જાતનો જંગલી છોડ છે. એ જંગલી છોડ ઝેરી છે અને દેખાવમાં એ ઘઉંના નાના છોડ જેવો લાગે છે. ઘઉં અને કડવા દાણા સાથે ઊગતા જાય તેમ, એના મૂળિયાં એકબીજામાં વીંટળાઈ જાય છે. એના લીધે, ઘઉંને નુકસાન પહોંચાડ્યા વગર કડવા છોડને અલગ કરવું અશક્ય બને છે. પણ છોડ મોટો થઈ જાય પછી, બંને વચ્ચેનો ફરક સાફ દેખાઈ આવે છે અને એને જુદાં કરી શકાય છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો