નોંધ
^ [૧] (ફકરો ૩) અમુક ભાઈ-બહેનો સંજોગોને લીધે સભાઓમાં નિયમિત જઈ શકતા નથી. દાખલા તરીકે, ખૂબ બીમાર હોય ત્યારે. તેઓ ખાતરી રાખી શકે કે, યહોવા તેઓનાં સંજોગો સમજે છે અને ભક્તિ માટેના તેઓનાં પ્રયત્નોની કદર કરે છે. એવાં ભાઈ-બહેનોને વડીલો મંડળની સભાઓનો લાભ લેવા મદદ કરી શકે. જેમ કે, આખી સભાને રેકોર્ડ કરીને તેઓને આપી શકે અથવા શક્ય હોય તો ટેલીફોન દ્વારા સભાનું પ્રસારણ કરી શકે.