ફૂટનોટ
a તિમોથીમાં ખુશખબર ફેલાવવાની સારી આવડત હતી. તોપણ પ્રેરિત પાઉલે તિમોથીને યહોવાની ભક્તિમાં વધારે સારું કરતા રહેવાનું ઉત્તેજન આપ્યું. તિમોથીએ પાઉલની એ સલાહ પાળી. એટલે તે યહોવાની ભક્તિમાં વધારે સારું કરી શક્યા અને ભાઈ-બહેનોને વધારે મદદ કરી શક્યા. તિમોથીની જેમ આપણે પણ યહોવાની ભક્તિમાં વધારે સારું કરવા માંગીએ છીએ અને ભાઈ-બહેનોને પૂરી મદદ કરવા ચાહીએ છીએ. એ માટે આપણે કેવા ધ્યેય રાખી શકીએ? એ પૂરા કરવા શું કરી શકીએ?