ફૂટનોટ
a યહોવાએ આપણને એક અજોડ આશા આપી છે. તકલીફો આવે ત્યારે એ આશાને લીધે આપણે અડગ રહી શકીએ છીએ, નિરાશામાં ડૂબી જતા નથી. આપણે કસોટીમાં હોઈએ ત્યારે આશા આપણી હિંમત બંધાવે છે અને આપણે યહોવાને વફાદાર રહી શકીએ છીએ. તેમ જ આપણા વિચારોનું રક્ષણ થાય છે અને યહોવાથી દૂર લઈ જતા વિચારોને અટકાવી શકીએ છીએ. આ લેખમાં એ ત્રણ બાબતોની ચર્ચા કરીશું. આપણે જોઈશું કે કઈ રીતે આપણી આશા મજબૂત કરતા રહી શકીએ.