-
શાસ્ત્રથી લગ્ન જીવન ખીલી ઊઠે છેચોકીબુરજ—૨૦૦૩ | સપ્ટેમ્બર ૧૫
-
-
શાસ્ત્રથી લગ્ન જીવન ખીલી ઊઠે છે
અમુક લોકો ‘લગ્ન’ શબ્દ સાંભળીને જ સપનાંની દુનિયામાં ખોવાઈ જાય છે. જ્યારે કે, અમુક નિસાસા નાખે છે. એક પત્ની દુઃખી થઈ જણાવે છે કે, “અમે ફક્ત કહેવા પૂરતાં જ પતિ-પત્ની છે. સાથી હોવા છતાં પણ મને એકલું અટૂલું લાગે છે.”
શા માટે પતિ-પત્નીનો પ્રેમ એકદમ ઠંડો પડી જાય છે! એવું શું બને છે જેથી તેઓના સબંધમાં આભ જમીનનો ફરક પડી જાય છે? એક મેડિકલ પત્રકારે કહ્યું: “લોકો કોઈ પણ અનુભવ વગર લગ્ન જીવનમાં ઝંપલાવે છે.”
અમેરિકામાં એક સર્વેએ બતાવ્યું કે, લગ્ન શું છે એ લોકો જાણતા જ નથી. વળી, “ઘણા લોકોએ નાનપણથી જ માબાપના દુ:ખી લગ્ન જોયા હોય છે. અરે, ઘણાં બાળકો તો નાના હોય ત્યારે જ માબાપે છૂટાછેડા લઈ લીધા હોય છે. તેથી, તેઓ જાણે છે કે દુ:ખી લગ્ન શું છે. પરંતુ, લગ્ન કયું સુખ લઈ આવી શકે એ તેઓ જાણતા નથી.”
ખ્રિસ્તીઓને પણ લગ્નમાં સમસ્યા ઊભી થઈ શકે છે. તેથી, પહેલી સદીમાં તેઓને સલાહ આપવામાં આવી કે લગ્નમાંથી ‘છૂટા થવાની ઇચ્છા ના રાખો’. (૧ કોરીંથી ૭:૨૭) જોકે, પતિ-પત્ની વચ્ચે સમસ્યાઓ તો ઊભી થશે જ. પરંતુ, બાઇબલના ઊંચા સિદ્ધાંતો તેઓને મદદ કરી શકે.
યહોવાહ દેવે લગ્નની શરૂઆત કરી ત્યારે, તેમણે બાઇબલમાં પતિ-પત્નીને સલાહ આપી જે તેઓને મદદ કરી શકે. જેમ કે, યહોવાહ દેવે પ્રબોધક યશાયાહ દ્વારા કહ્યું: “હું યહોવાહ તારો દેવ છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું. જો તેં મારી આજ્ઞાઓ ધ્યાનમાં લીધી હોત તો કેવું સારૂં! ત્યારે તો તારી શાંતિ નદીના જેવી, ને તારૂં ન્યાયીપણું સમુદ્રનાં મોજાં જેવું થાત.”—યશાયાહ ૪૮:૧૭, ૧૮.
શું તમારું લગ્ન જીવન ચીમળાયેલા ફૂલની જેમ કરમાવા માંડ્યું છે? શું તમને એમ લાગે છે કે, તમે પ્રેમ વિનાના લગ્નની સાંકળમાં બંધાઈ ગયા છો? એક પત્નીએ ૨૬ વર્ષ પછી જણાવ્યું કે, “જ્યારે લગ્ન જીવન ફૂલની જેમ કરમાવા માંડે ત્યારે દુઃખી દુઃખી થઈ જવાય છે. પણ શું થાય, એ તો ચાલ્યા જ કરે.” પરંતુ, એમ હિંમત હારી જવાને બદલે શું તમે કંઈક કરી શકો? હવે પછીનો લેખ બતાવશે કે, કઈ રીતે પતિ-પત્ની પોતાના લગ્નમાં બાઇબલની સલાહને લાગુ પાડી શકે. એમ કરવાથી, તેઓ કાયમ માટે લગ્ન ટકાવી રાખી શકશે.
-
-
લગ્ન કઈ રીતે ટકાવી રાખવુંચોકીબુરજ—૨૦૦૩ | સપ્ટેમ્બર ૧૫
-
-
લગ્ન કઈ રીતે ટકાવી રાખવું
જરા વિચારો. એક ઘરનું ધ્યાન ન રાખવાને લીધે પડું-પડું થઈ રહ્યું છે. ઘરની છતમાં ગાબડાં પડી રહ્યાં છે, કલરના પોપડા ઊખડી રહ્યા છે અને ધીરે-ધીરે ટાઇલ્સ પણ ઊખડી રહી છે! અધૂરામાં પૂરું, આ મકાનને વાવાઝોડા અને તોફાનને લીધે ઘણું નુકસાન પહોંચ્યું છે. શું તમે આ ઘરને તોડી નાખશો? તમે કહેશો, ‘ના. જો એનો પાયો અને બાંધકામ મજબૂત હશે તો, ઘરને રિપેર કરી શકાય.’
આજ-કાલ ઘણાના લગ્નની હાલત પણ આવી જ હોય શકે. સેન્ડીનો વિચાર કરો. સેન્ડીના લગ્નને ૧૫ વર્ષ થઈ ગયા, પણ તે કહે છે: “અમે ફક્ત કહેવા પૂરતા જ પતિ-પત્ની છીએ. પરંતુ, એનાથી જ થોડું લગ્ન જીવનનું ગાડું ચાલે!” શા માટે આવું થયું હોય શકે? કદાચ પતિ-પત્નીને લગ્ન-જીવનની બહુ પડી ન હોય. તેથી, જીવનના વાવાઝોડાથી તેઓના લગ્ન જીવનમાં તરાડ પડી હોય શકે.
જો એમ હોય તો, લગ્ન તોડી નાખવાનું ઉતાવળિયું પગલું ન ભરતા. આપણે ઘરનું ઉદાહરણ જોઈ ગયા તેમ, લગ્નને તોડી નાખવાની જરૂર નથી. એ ટકાવી રાખી શકાય છે, પણ એનો આધાર પતિ-પત્ની પર રહેલો છે! તેઓ બંને મળીને જીવનના વાવાઝોડાનો સામનો કરી શકે છે. સૌથી મહત્ત્વનું તો એ કે તેઓ બંને મળીને લગ્ન વિષે પરમેશ્વરની સલાહ જુએ. ચાલો આપણે પવિત્ર શાસ્ત્રમાંથી એ જોઈએ.
લગ્ન રમત વાત નથી
લગ્નમાં પતિ અને પત્ની બંને જવાબદાર છે. તેઓ બંને એ જવાબદારી ઉપાડવા જાણે કે જીવનભરનો કૉન્ટ્રેક્ટ કરે છે કે એકબીજાને વાયદો આપે છે. દાખલા તરીકે, એક કડિયો મકાન બાંધી આપવાનો કૉન્ટ્રેક્ટ લે છે. હવે એની જવાબદારી છે કે ભલે ગમે એ થાય પણ તે મકાન બાંધી આપશે. તે મકાન માલિકને ઓળખતો હોય કે ન હોય, પણ વાયદા પ્રમાણે કામ પૂરું કરવાની તેની જવાબદારી છે.
લગ્નમાં પણ એમ જ છે. ખાસ કરીને પતિ-પત્ની પરમેશ્વર સામે એકબીજાને વચન આપે છે કે, ભલે ગમે તે થાય પણ સાથે જ રહેવું. ઈસુએ કહ્યું: “આરંભથી જ ઈશ્વરે પુરુષ અને સ્ત્રીને બનાવ્યાં છે. અને પુરુષ પોતાનાં માબાપને છોડી દઈને પોતાની
-