-
લેવીય ૨૩:૨૭-૩૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૭ “પણ સાતમા મહિનાનો દસમો દિવસ પ્રાયશ્ચિત્તનો દિવસ*+ છે. એ દિવસે તમે પવિત્ર સંમેલન રાખો અને પોતાના પાપ માટે દુઃખ વ્યક્ત કરો*+ અને યહોવા માટે આગમાં અર્પણ ચઢાવો. ૨૮ એ ખાસ દિવસે તમે કોઈ કામ ન કરો, કેમ કે એ પ્રાયશ્ચિત્તનો દિવસ છે.+ એ દિવસે તમે તમારા ઈશ્વર યહોવા આગળ પ્રાયશ્ચિત્ત કરો. ૨૯ જો કોઈ એ દિવસે પોતાના પાપ માટે દુઃખ વ્યક્ત* ન કરે, તો તેને મારી નાખો.+ ૩૦ જે માણસ એ દિવસે કોઈ પણ પ્રકારનું કામ કરશે, તેને હું મારી નાખીશ. ૩૧ એ દિવસે તમે કોઈ પણ કામ ન કરો. તમારી પેઢી દર પેઢી એ નિયમ હંમેશ માટે લાગુ પડે છે, પછી ભલે તમે ગમે ત્યાં રહેતા હો.
-