વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ રાજાઓ ૧૪:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ એ કારણને લીધે, ઓ યરોબઆમ, હું તારા વંશજો પર આફત લાવીશ અને તારા કુટુંબના દરેક પુરુષને* મારી નાખીશ. ઇઝરાયેલના લાચાર અને કમજોર માણસનો પણ નાશ કરીશ. જેમ કોઈ છાણ સાફ કરીને બહાર નાખી દે, તેમ હું તારા કુટુંબનો સફાયો કરી નાખીશ.+

  • ૧ રાજાઓ ૧૫:૨૫-૨૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૫ યહૂદાના રાજા આસાના શાસનનું બીજું વર્ષ ચાલતું હતું. એ સમયે યરોબઆમનો દીકરો નાદાબ+ ઇઝરાયેલનો રાજા બન્યો હતો. તેણે ઇઝરાયેલ પર બે વર્ષ રાજ કર્યું હતું. ૨૬ યહોવાની નજરમાં જે ખરાબ હતું, એ નાદાબ કરતો હતો. તેણે પોતાના પિતા જેવું જ કર્યું હતું.+ તેના પિતાએ ઇઝરાયેલીઓ પાસે જેવાં પાપ કરાવ્યાં હતાં,+ એવાં તેણે પણ કર્યાં હતાં. ૨૭ ઇસ્સાખાર કુળના અહિયાના દીકરા બાશાએ નાદાબ વિરુદ્ધ કાવતરું ઘડ્યું. પલિસ્તીઓના શહેર ગિબ્બથોન+ સામે નાદાબ અને બધા ઇઝરાયેલીઓએ ઘેરો નાખ્યો હતો. એ સમયે બાશાએ નાદાબને ગિબ્બથોનમાં મારી નાખ્યો. ૨૮ તેને મારી નાખીને બાશા પોતે રાજા બની બેઠો. એ સમયે યહૂદાના રાજા આસાના શાસનનું ત્રીજું વર્ષ ચાલતું હતું. ૨૯ બાશા રાજા બન્યો કે તરત તેણે યરોબઆમના કુટુંબના બધાને રહેંસી નાખ્યા. તેણે યરોબઆમના કુટુંબમાંથી કોઈને જીવતો રહેવા દીધો નહિ. તેણે તેઓનો સફાયો કરી નાખ્યો. આ રીતે યહોવાના શબ્દો પૂરા થયા, જે તેમણે શીલોહમાં રહેતા પોતાના સેવક અહિયા દ્વારા કહ્યા હતા.+

  • ૨ રાજાઓ ૧૭:૨૨, ૨૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૨ યરોબઆમે જે પાપ કર્યાં હતાં, એ કરવાનું ઇઝરાયેલીઓએ ચાલુ રાખ્યું.+ તેઓએ એમ કરવાનું છોડ્યું નહિ. ૨૩ એટલે યહોવાએ પોતાના બધા પ્રબોધકો દ્વારા કહ્યું હતું તેમ, તેઓને પોતાની નજર આગળથી દૂર કર્યા.+ ઇઝરાયેલીઓને પોતાના દેશમાંથી ગુલામ તરીકે આશ્શૂર દેશ લઈ જવામાં આવ્યા.+ તેઓ આજ સુધી ત્યાં જ છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો