-
પ્રેરિતોનાં કાર્યો ૧૪:૮-૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ હવે લુસ્ત્રામાં એક માણસ બેઠો હતો. તે જન્મથી અપંગ હતો અને કદી ચાલ્યો ન હતો. ૯ એ માણસ પાઉલની વાતો સાંભળતો હતો. પાઉલે તેની સામે ધારીને જોયું. પાઉલને ખ્યાલ આવ્યો કે તેને શ્રદ્ધા અને ભરોસો છે કે તે સાજો થઈ શકે છે.+ ૧૦ એટલે પાઉલે ઊંચા અવાજે કહ્યું: “તારા પગ પર ઊભો થા.” એ માણસ કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો.+
-