૧૩ આ એ જ માણસ છે, જે યહોવાનું મંદિર બાંધશે અને ગૌરવ મેળવશે. તે પોતાની રાજગાદી પર બેસશે અને રાજ કરશે. તે રાજાની સાથે સાથે યાજક* પણ બનશે.+ એ બંને જવાબદારીઓ તે સારી રીતે નિભાવશે અને એનાથી શાંતિ ફેલાશે.
૬ પણ ખ્રિસ્ત* તો ઈશ્વરના આખા ઘર પર દીકરા તરીકે વફાદાર હતા.+ જો આપણે હિંમતથી બોલતા રહીએ અને જે આશા વિશે આપણને ગર્વ છે, એને અંત સુધી મજબૂત પકડી રાખીએ, તો સાચે જ આપણે ઈશ્વરનું ઘર છીએ.+