વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w02 ૩/૧૫ પાન ૩૨
  • ઇતિહાસમાં સૌથી મહત્ત્વનો પ્રસંગ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઇતિહાસમાં સૌથી મહત્ત્વનો પ્રસંગ
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
w02 ૩/૧૫ પાન ૩૨

ઇતિહાસમાં સૌથી મહત્ત્વનો પ્રસંગ

શા માટે ઈસુ ખ્રિસ્તનું મરણ સૌથી મહત્ત્વનું હતું? એના ઘણાં કારણો છે.

ઈસુ મરણ સુધી યહોવાહ પરમેશ્વરને વફાદાર રહ્યા. જેનાથી સાબિત થયું કે આપણે પણ પરમેશ્વરને પૂરેપૂરા વફાદાર રહી શકીએ છીએ.

ખ્રિસ્તના બલિદાન દ્વારા એક એવો માર્ગ ખોલ્યો, જેનાથી અમુક જણ તેમની સાથે સ્વર્ગમાં રાજાઓ બની શકે. તેમ જ બીજા અનેક માટે માર્ગ ખોલ્યો, જેથી બગીચા જેવી પૃથ્વી પર તેઓ હંમેશ માટે જીવી શકે.

ઈસુ પ્રેમથી માનવ માટે પોતાનું બલિદાન આપવાના હતા. એ રાત્રે બલિદાનને રજૂ કરતા તેમણે બેખમીર રોટલી અને લાલ દ્રાક્ષદારૂનો ઉપયોગ કર્યો. પછી તેમણે પોતાના શિષ્યોને કહ્યું: “મારી યાદગીરીમાં આ કરો.” (લુક ૨૨:૧૯) શું તમે આ સૌથી મહત્ત્વનો પ્રસંગ યાદ કરશો?

યહોવાહના સાક્ષીઓ તમને આમંત્રણ આપે છે કે તમે તેઓની સાથે આ મહત્ત્વના પ્રસંગે જોડાઓ. આ વર્ષે એ પ્રસંગ ગુરૂવાર, માર્ચ ૨૮ સૂર્યાસ્ત પછી હશે. તમે તમારા ઘરની નજીક આ સભામાં જઈ શકો. મહેરબાની કરીને ચોક્કસ સમય અને હૉલનું સરનામું યહોવાહના સાક્ષીઓ પાસેથી મેળવો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો