વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w03 ૭/૧ પાન ૩
  • પ્રેમથી દુનિયા ચાલે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પ્રેમથી દુનિયા ચાલે છે
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • સરખી માહિતી
  • ઈશ્વર તમને ચાહે છે, તમે પણ તેમને ચાહો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • પડોશી પર પ્રીતિ કર, એટલે શું?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • પ્રેમમાં વધતા જાઓ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • તમારો પ્રેમ કેટલો ઊંડો છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
w03 ૭/૧ પાન ૩

પ્રેમથી દુનિયા ચાલે છે

પ્રેમ, મહોબ્બત કે પ્રીતિ. એના વગર આપણું જીવન કેવું સૂનું સૂનું બની જાય છે! ભલે નાના-મોટા, ગમે તે જાતિ કે ભાષાના હોય, બધા જ લોકો પ્રેમના ભૂખ્યા હોય છે. પ્રેમ વગર તો આપણે દુઃખી દુઃખી થઈ જઈએ. એક ડૉક્ટરે લખ્યું: ‘પ્રેમ આપણને બીમાર કરે છે અને તાજામાજા પણ કરે છે. પ્રેમ આપણને દુઃખી કરે છે અને ખુશીથી ભરી પણ દે છે. જો પ્રેમ દવા હોત તો, દરેક ડૉક્ટર પોતાના દર્દીઓને એ જ દવા આપત.’

તોપણ, આજે મોટા ભાગના લોકોમાં પ્રેમનો છાંટોય જોવા મળતો નથી. દુનિયામાં ખાસ કરીને મિડીયા અને પ્રખ્યાત લોકો ધનદોલત, માન-મોભો અને સેક્સ પર જ વધારે ભાર મૂકતા હોય છે. પ્રેમ વિષે તેઓને કંઈ પડી જ નથી. ઘણા શિક્ષકો ગળું ફાડીને કહે છે કે જો તમારું મોટું નામ હોય અને માન-મોભો હોય, તો જ તમે કંઈક છો. ખરું કે શિક્ષણ મહત્ત્વનું છે, પણ શું આપણે ફક્ત એની પાછળ જ પડવું જોઈએ? શું આપણે પોતાના કુટુંબ કે મિત્રો માટે કોઈ સમય ફાળવવો ન જોઈએ? આશરે ૨,૦૦૦ વર્ષ પહેલાં, માનવ સ્વભાવને સારી રીતે પારખનાર એક લેખકે કહ્યું કે, ભલે કોઈ વ્યક્તિમાં ગમે એવી ક્ષમતા હોય, પણ જો તેનામાં પ્રેમ ન હોય તો, તે “રણકાર કરનાર ઘંટ અને ઘોંઘાટ કરનાર થાળી” જેવા છે. (૧ કોરીંથી ૧૩:૧, પ્રેમસંદેશ) આવા લોકો ભલે અમીર કે મશહૂર બને તોપણ, તેઓ સુખી હોતા નથી.

ઈસુ ખ્રિસ્તની રગેરગમાં પ્રેમ વહેતો હતો. અને તે મનુષ્યોને તો ખૂબ જ ચાહતા હતા. તેમણે પોતાના શિક્ષણમાં પરમેશ્વરને અને એકબીજાને પ્રેમ કરવા પર ખૂબ ભાર મૂક્યો. તેમણે કહ્યું: “તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રીતિ કર. . . . જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર.” (માત્થી ૨૨:૩૭-૩૯) જો લોકો આ બોધ જીવનમાં ઉતારે તો એનું પરિણામ શું હશે? ઈસુએ કહ્યું: “તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.”—યોહાન ૧૩:૩૫.

આ ક્રૂર દુનિયામાં આપણે કઈ રીતે એકબીજાને ખૂબ ચાહી શકીએ? માબાપો, તમે કઈ રીતે તમારા બાળકોને પ્રેમ કરવાનું શીખવી શકો? આના જવાબો હવે પછીના લેખમાં જોવા મળશે.

[પાન ૩ પર ચિત્ર]

લોભી દુનિયામાં એકબીજા માટે પ્રેમ રાખવો કંઈ સહેલું નથી

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો