વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g20 નં. ૨ પાન ૮-૯
  • ૨. શું દુઃખ-તકલીફો માટે આપણે પોતે જવાબદાર છીએ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ૨. શું દુઃખ-તકલીફો માટે આપણે પોતે જવાબદાર છીએ?
  • સજાગ બનો!—૨૦૨૦
  • મથાળાં
  • સરખી માહિતી
  • એ જાણવું કેમ જરૂરી છે?
  • વિચારવા જેવું
  • બાઇબલ શું કહે છે
  • વિષય
    સજાગ બનો!—૨૦૨૦
  • સવાલ ૩: તમે મારા પર દુઃખ કેમ આવવા દો છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • શા માટે આટલું બધું દુઃખ?
    સજાગ બનો!—૨૦૧૨
  • ૪. શું ઈશ્વરે આપણને દુઃખ-તકલીફો સહેવા બનાવ્યા છે?
    સજાગ બનો!—૨૦૨૦
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૨૦
g20 નં. ૨ પાન ૮-૯
એક માણસ પોતાના બેઠક રૂમમાં બેઠો છે, તેના એક હાથમાં સિગારેટ છે એની બીજા હાથમાં દારૂની બોટલ છે.

૨. શું દુઃખ-તકલીફો માટે આપણે પોતે જવાબદાર છીએ?

એ જાણવું કેમ જરૂરી છે?

જો દુઃખ-તકલીફો માટે મનુષ્ય જવાબદાર હોય, તો એનો અર્થ થાય કે મનુષ્ય એ તકલીફો ઓછી કરી શકે છે.

વિચારવા જેવું

આ બાબતો માટે મનુષ્ય કેટલી હદે જવાબદાર છે?

  • મુઠ્ઠી, અત્યાચાર દર્શાવતું ચિહ્‍ન.

    અત્યાચાર.

    વિશ્વ આરોગ્ય સંસ્થાનો એક અહેવાલ જણાવે છે કે દર ચારમાંથી એક વ્યક્તિ બાળપણમાં કોઈ સમયે અત્યાચારનો ભોગ બને છે. દર ત્રણમાંથી એક સ્ત્રી જીવન દરમિયાન હિંસા કે જાતીય અત્યાચાર કે પછી બંનેનો ભોગ બને છે.

  • કબર દર્શાવતું ચિહ્‍ન.

    સગાં-વહાલાંનું મરણ.

    વિશ્વ આરોગ્ય સંસ્થાએ બહાર પાડેલું સાહિત્ય વર્લ્ડ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ ૨૦૧૮ જણાવે છે કે ૨૦૧૬માં અંદાજે ૪,૭૭,૦૦૦ લોકો માર્યા ગયા. એ જ વર્ષે અંદાજે ૧,૮૦,૦૦૦ લોકો યુદ્ધો અને લડાઈઓમાં માર્યા ગયા.

  • હૃદયની ઇકેજી રેખા દર્શાવતું ચિહ્‍ન જે બતાવે છે કે હૃદયની તકલીફો છે.

    બીમારીઓ.

    નેશનલ જીયોગ્રાફિક મૅગેઝિનના એક લેખમાં ફ્રાન્સ સ્મીથ નામની લેખિકા જણાવે છે: ‘એક અબજથી પણ વધારે લોકો સિગારેટ પીએ છે. તમાકુના વ્યસનને લીધે લોકોને જીવલેણ બીમારીઓ થાય છે. જેમ કે, હૃદયરોગ, લકવો અને ફેફસાંનું કેન્સર.’

  • એક તરફ નમેલું ત્રાજવાનું ચિહ્‍ન, ભેદભાવ દર્શાવે છે.

    ભેદભાવ.

    જે વૉટ્‌સ નામના મનોચિકિત્સક જણાવે છે: “આજે ઘણો ભેદભાવ જોવા મળે છે. જેમ કે, અમીર-ગરીબ વચ્ચે, જાતિ જાતિ વચ્ચે, સ્ત્રી-પુરુષ વચ્ચે, અલગ અલગ સમાજના લોકો વચ્ચે અને અલગ રંગના લોકો વચ્ચે. એટલે, અમુક વાર લોકોએ પોતાનાં ઘરબાર છોડવા પડ્યા છે. એના લીધે તેઓ મનમાં ને મનમાં દુઃખી થયા કરે છે.”

    વધુ જાણવા

    jw.org પર ઈશ્વરે પૃથ્વી કેમ બનાવી? વીડિયો જુઓ.

બાઇબલ શું કહે છે

પ્રથમ ચિત્રમાં દર્શાવેલો માણસ હૉસ્પિટલમાં ખાટલા પર સુતો છે. ડૉક્ટર તેને ખરાબ સમાચાર આપે છે એ સાંભળીને તેની પત્ની પિઠ ફેરવે છે.

આજે મોટા ભાગે દુઃખો માટે મનુષ્યો જ જવાબદાર છે.

મોટા ભાગે સરકાર એના માટે જવાબદાર છે. તેઓ પ્રજાની સેવા કરવાનો દાવો કરે છે, પણ હકીકતમાં તો લોકોનું જીવન મુશ્કેલ બનાવે છે.

‘માણસ બીજા માણસ ઉપર સત્તા ચલાવીને તેને નુકસાન પહોંચાડે છે.’—સભાશિક્ષક ૮:૯.

દુઃખ-તકલીફો ઓછાં થઈ શકે.

બાઇબલ સિદ્ધાંતો સારી તંદુરસ્તી જાળવવા અને બીજાઓ સાથે સારા સંબંધો રાખવા મદદ કરે છે.

‘મનની શાંતિ શરીરને તંદુરસ્ત રાખે છે; પણ ઈર્ષા હાડકાંનો સડો છે.’—નીતિવચનો ૧૪:૩૦.

“દરેક પ્રકારની કડવાશ, ગુસ્સો, ક્રોધ, બૂમ-બરાડા અને અપમાનજનક વાતો, તેમજ નુકસાન કરતી બધી જ બાબતો તમારામાંથી કાઢી નાખો.”—એફેસીઓ ૪:૩૧.

શું દુઃખ-તકલીફો માટે આપણે પોતે જવાબદાર છીએ?

બાઇબલ કહે છે: “માણસ જે કંઈ વાવે છે, એ જ તે લણે છે.” (ગલાતીઓ ૬:૭) અમુક દુઃખ-તકલીફો વ્યક્તિ પોતે લાવે છે. એટલે ડૉક્ટરો સલાહ આપે છે કે સારો ખોરાક લો, નિયમિત કસરત કરો અને ખરાબ આદતોથી દૂર રહો. જેમ કે, સિગારેટ પીવી. પણ ખરું જોતાં બધી જ મુશ્કેલીઓ પાછળ માણસનો હાથ નથી હોતો. આજે ઘણા લોકો અકસ્માત, આફતો અને બીજી ઘણી એવી તકલીફોનો ભોગ બને છે.

સારા લોકો પર દુઃખો કેમ આવે છે?

સવાલ ૩ જુઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો