વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w05 ૧૨/૧૫ પાન ૩૦
  • શું તમને યાદ છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમને યાદ છે?
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • સરખી માહિતી
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • પોંતિયસ પિલાત કોણ હતો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • આર્માગેદન પછી સુખનો સૂરજ ઊગશે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • શું આર્માગેદનનું યુદ્ધ ઇઝરાયેલથી શરૂ થશે?—બાઇબલ શું કહે છે?
    બીજા વિષયો
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
w05 ૧૨/૧૫ પાન ૩૦

શું તમને યાદ છે?

છેલ્લા થોડા મહિનાના ચોકીબુરજ અંકો તમને કેવા લાગ્યા? એમાંથી શું તમને આ મુદ્દા યાદ છે?

• શા માટે આદમને લીધે બધાને વારસામાં પાપ મળ્યું છે?

આદમના પાપને કારણે આપણે પણ કરુણ પરિસ્થિતિમાં જન્મ્યા. તેના લીધે આખી માણસજાત પાપના પંજામાં આવી ગઈ. જેમ બાળકોને માબાપ તરફથી વારસામાં રોગ લાગે છે તેમ આપણને આદમ પાસેથી વારસામાંથી પાપ મળ્યું છે.—૮/૧૫, પાન ૫.

• આજે ખૂનખરાબી શા માટે વધી ગઈ?

શેતાન આપણા દિલમાં ક્રોધ અને હિંસા ભડકાવવાની કોશિશ કરે છે જેથી, આપણે યહોવાહની ભક્તિમાંથી પાછા પડીએ. તે ફિલ્મો અને સંગીતમાં એવી હિંસક લાગણી ભડકાવે છે જે આપણને યહોવાહથી દૂર લઈ જઈ શકે. કૉમ્પ્યુટરની અમુક રમતો પણ હિંસક હોય છે. એમાં ખેલાડીને ઉશ્કેરવામાં આવે છે કે તે અતિશય હિંસક અને ખૂની બની જાય! ટીવી અને છાપાઓમાં વધુને વધુ હિંસા બતાવવામાં આવે છે જેની બહુ જ ખરાબ અસર પડે છે.—૯/૧, પાન ૨૯.

• પોંતિયસ પિલાત કોણ હતો?

તે એવો અધિકારી હતો જે ઘોડેસવારોની ક્લબના નીચલા વર્ગનો હતો. તે ફોજમાં જોડાયો હોય શકે. રૂમી સમ્રાટ તિબેરિયસે ઈસવીસન ૨૬માં પિલાતને યહુદાહનો ગવર્નર બનાવ્યો. યહુદી અધિકારીઓ ઈસુ પર આરોપ મૂકતા હતા ત્યારે તે બધું સાંભળતો હતો. લોકોને રાજી રાખવા માટે તેણે રજા આપી કે ઈસુને મારી નાખવામાં આવે.—૯/૧૫, પાન ૧૦-૧૨.

• માત્થી ૨૪:૩માં ‘જગતના અંતની નિશાની’ શું છે?

એ નિશાનીમાં ઘણા બનાવો છે. દાખલા તરીકે, યુદ્ધ, દુકાળ, રોગો અને ધરતીકંપ ફાટી નીકળશે. એ સર્વ બનાવો પરથી ઈશ્વરભક્તોને ખબર પડી શકે કે ઈસુને સ્વર્ગમાં રાજ મળી ગયું છે. તેઓ એ પણ જાણી શકે કે ‘જગતનો અંત’ ક્યારે શરૂ થયો.—૧૦/૧, પાન ૪-૫.

• પહેલી સદીમાં અમુક યહુદીઓ યરૂશાલેમ સિવાય બીજે ક્યાં રહેતા હતા?

પહેલી સદીમાં યહુદીઓ મોટે ભાગે સીરિયા, એશિયા માઈનોર, બાબેલોન, ઇજિપ્ત અને યુરોપના અમુક ભાગોમાં રહેતા હતા.—૧૦/૧૫, પાન ૧૨.

• બંદૂક જેવાં હથિયાર રાખવાં પડે એવી નોકરી કરીને, શું આપણે શુદ્ધ અંતઃકરણ રાખી શકીએ?

જો નોકરીએ બંદૂક જેવાં હથિયાર રાખવાં જરૂરી હોય, તો એ રાખવાં કે નહિ, એ વ્યક્તિનો પોતાનો નિર્ણય છે. તેણે વિચારવું જોઈએ કે હથિયાર હશે તો જરૂર પડ્યે એનો ઉપયોગ પણ કરવો પડે. એનાથી કોઈનું લોહી વહે કે કોઈનો જાન જાય તો, આપણે યહોવાહને જવાબ આપવો પડશે. આવા ભાઈ કે બહેનને મંડળમાં કોઈ ખાસ જવાબદારી આપવામાં નહિ આવે. (૧ તીમોથી ૩:૩, ૧૦)—૧૧/૧, પાન ૩૧.

• આર્માગેદન નામ “મગિદ્દો પર્વત” પરથી આવે છે. તો શું આર્માગેદનનું યુદ્ધ મધ્ય પૂર્વના આ પર્વત પર થશે?

ના. આજે એ નામનો કોઈ પર્વત જ નથી. પહેલાં જ્યાં મગિદ્દો પર્વત હતો ત્યાં આજે એક ખીણ છે. એની સામે ખીણથી ૭૦ ફૂટ ઊંચો ટેકરો છે. એ ટેકરા પર ‘પૃથ્વીના રાજાઓ તથા તેઓનું સૈન્ય’ સમાઈ જ ન શકે. એ યહોવાહની લડાઈ છે, જે આખી દુનિયામાં લડાશે. (પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬; ૧૯:૧૯; ગીતશાસ્ત્ર ૪૬:૮, ૯)—૧૨/૧, પાન ૪-૭.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો