વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ ડિસેમ્બર પાન ૭
  • સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—સંજોગો પ્રમાણે રજૂઆત બદલીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—સંજોગો પ્રમાણે રજૂઆત બદલીએ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • સરખી માહિતી
  • ઘરમાલિક સમજી શકે એ રીતે વાત કરીએ
    ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
  • સોનેરી નિયમને પ્રચારકાર્યમાં લાગુ પાડીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—બાઇબલ શીખવે છે પુસ્તક આપીએ
    ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
  • હાલમાં બનેલી કોઈ ઘટના કે સમાચારથી વાત શરૂ કરીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ ડિસેમ્બર પાન ૭
તબેલામાં કામ કરનારને પ્રચાર કરવા બે બહેનો ટેબ્લેટ વાપરે છે

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—સંજોગો પ્રમાણે રજૂઆત બદલીએ

કેમ મહત્ત્વનું: અભિષિક્તો અને બીજાં ઘેટાંના લોકો ચાહે છે કે બધા “જીવનનું પાણી મફત લે.” (પ્રક ૨૨:૧૭) એ પાણી કોને રજૂ કરે છે? આજ્ઞા પાળનાર લોકોને પાપ અને મરણમાંથી છોડાવવા યહોવાએ જે ગોઠવણો કરી છે એને રજૂ કરે છે. આજે લોકોનાં રિવાજો અને ધાર્મિક માન્યતાઓ અલગ અલગ છે. આપણે તેઓને મદદ કરવાની છે. એટલે દરેક વ્યક્તિનાં દિલ સુધી પહોંચે એ રીતે આપણે “હંમેશાં ટકનારી ખુશખબર” જણાવવી જોઈએ.—પ્રક ૧૪:૬.

કઈ રીતે કરી શકીએ:

  • તમારા વિસ્તારના લોકોનાં દિલને સ્પર્શી જાય એવાં વિષયો અને કલમોનો ઉપયોગ કરો. તમે વાતચીતની એક રીત વાપરી શકો અથવા તમારી કોઈ રીતનો ઉપયોગ કરી શકો. આ સવાલોનો વિચાર કરો: કયા વિષયો અને કલમો લોકોને ગમશે? હાલના એવા કયા બનાવો છે, જેના વિશે લોકો વિચારતા હોય કે વાત કરતા હોય? પુરુષને કે સ્ત્રીને કયા વિષયો પસંદ પડશે?

  • વાતચીતમાં એવાં અભિવાદન કે રિવાજનો ઉપયોગ કરો જે તમારા વિસ્તારમાં સામાન્ય હોય.—૨કો ૬:૩, ૪

  • શીખવવાનાં સાધનોમાં આપેલાં સાહિત્ય અને વીડિયોથી સારી રીતે જાણકાર બનો, જેથી રસ ધરાવનાર લોકોને એ આપી શકો

  • તમારા વિસ્તારમાં બોલાતી ભાષામાં સાહિત્ય અને વીડિયો ડાઉનલોડ કરો

  • વ્યક્તિના સંજોગો પ્રમાણે તમારા વિષયમાં ફેરફાર કરો. (૧કો ૯:૧૯-૨૩) દાખલા તરીકે, તમને ખબર પડે કે વ્યક્તિના કુટુંબમાં હમણાં જ કોઈનું મરણ થયું છે તો તમે શું વાત કરશો?

વીડિયો જુઓ અને પછી નીચેના સવાલોના જવાબ આપો:

  • વ્યક્તિ સાથે પ્રકાશકે શરૂઆતમાં કયા વિષય પર વાત કરી?

  • વ્યક્તિના જીવનમાં શું બન્યું હતું?

  • એ સમયે કઈ કલમ વાપરવી જોઈતી હતી અને શા માટે?

  • તમારા વિસ્તારના લોકોને ગમે એ માટે તમે રજૂઆતમાં કેવો ફેરફાર કરો છો?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો