વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 મે પાન ૭
  • શિસ્તમાં યહોવાનો પ્રેમ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શિસ્તમાં યહોવાનો પ્રેમ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • સરખી માહિતી
  • શું તમે સલાહનો ખરો અર્થ સમજો છો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • શિસ્ત—ઈશ્વરના પ્રેમનો પુરાવો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • બાળકોને શિસ્ત કઈ રીતે આપવી?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • ‘શિસ્ત પર ધ્યાન આપો અને જ્ઞાની થાઓ’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 મે પાન ૭
માબાપ દરવાજા પાસે ઊભા રહીને રડી રહ્યાં છે કેમ કે પસ્તાવો ન કરતો દીકરો ઘર છોડીને જાય છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

શિસ્તમાં યહોવાનો પ્રેમ

શિસ્તનો મોટા ભાગે અર્થ થાય શિખામણ અને શિક્ષણ આપવું. એમાં સુધારવાનો અને ઠપકાનો પણ સમાવેશ થાય છે. યહોવા એટલે શિસ્ત આપે છે, જેથી તેમના કહ્યા પ્રમાણે આપણને ભક્તિ કરવા મદદ મળે. (રોમ ૧૨:૧; હિબ્રૂ ૧૨:૧૦, ૧૧) ખરું કે શિસ્ત મળવાથી દુઃખ થાય છે, પણ એ સ્વીકારવાથી આપણે યહોવાની નજરે નેક ગણાઈશું અને તેમનો આશીર્વાદ મેળવીશું. (ની ૧૦:૭) શિખામણ આપનાર અને લેનારે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

શિખામણ આપનાર. વડીલો, માતા-પિતાઓ અને બીજાઓએ શિખામણ આપતી વખતે યહોવાની જેમ પ્રેમથી વર્તવું જોઈએ. (યર્મિ ૪૬:૨૮) જો કોઈને ઠપકો આપવો પડે તોપણ એ પ્રેમથી અને યોગ્ય રીતે આપવો જોઈએ. —તિત ૧:૧૩.

શિખામણ લેનાર. આપણને સુધારવા માટે જે કંઈ સલાહ-સૂચનો આપવામાં આવે એ સ્વીકારીએ અને એને લાગુ પાડીએ. (ની ૩:૧૧, ૧૨) આપણે બધા ભૂલો કરીએ છીએ. એટલે સુધારો કરવા અનેક જગ્યાએથી સલાહ સૂચનો મળી શકે છે. જેમ કે, બાઇબલ વાંચીએ અને સભાઓમાં સાંભળીએ ત્યારે અહેસાસ થાય છે કે આપણામાં કોઈક બાબતે સુધારો કરવાની જરૂર છે. જો આપણાથી મોટી ભૂલ થઈ જાય તો ન્યાય સમિતિ આપણને શિસ્ત આપે છે. એ સ્વીકારવાથી આપણે ખુશ રહી શકીશું અને ભાવિમાં હંમેશ માટેનું જીવન મેળવી શકીશું. —ની ૧૦:૧૭.

“યહોવા જેઓને પ્રેમ કરે છે, તેઓને તે શિસ્ત આપે છે” વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • ‘યહોવા જેઓને પ્રેમ કરે છે, તેઓને તે શિસ્ત આપે છે’ નામના વીડિયોનું દૃશ્ય છે. કેનન નાનો હતો ત્યારે તેમના મમ્મી-પપ્પા સાથે પ્રચાર કરતો હતો.

    કેનનભાઈનું શરૂઆતનું જીવન કેવું હતું અને એ કઈ રીતે બદલાઈ ગયું?

  • ‘યહોવા જેઓને પ્રેમ કરે છે, તેઓને તે શિસ્ત આપે છે’ નામના વીડિયોનું દૃશ્ય છે. કેનન નાનો હતો ત્યારે વડીલોને મળતો.

    તેમને કઈ રીતે યહોવાએ પ્રેમથી સુધાર્યા?

  • ‘યહોવા જેઓને પ્રેમ કરે છે, તેઓને તે શિસ્ત આપે છે’ નામના વીડિયોનું દૃશ્ય છે. કેનન મોટો થયો ત્યારે મંડળમાં યુવાનો સાથે સભામાં વાત કરતો.’

    યહોવા શિસ્ત આપે એને રાજીખુશીથી સ્વીકારીએ

    તેમના અનુભવમાંથી આપણને શું શીખવા મળે છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો