ફૂટનોટ
e જિન્સમાં ફેરફાર કરવાના પ્રયોગથી વૈજ્ઞાનિકોને વારંવાર શું જોવા મળ્યું? એનાથી પ્રાણી કે વનસ્પતિમાં નવા ફેરફારો તો જોવા મળતા. પણ એ જ ફેરફારો તેઓના વંશજોમાં જોવા મળતા ન હતા. તેમના વંશજોમાં એવા ફેરફારો ઘટતા જતા અને છેવટે મૂળ પ્રાણી કે વનસ્પતિ પેદા થતા રહેતા. લોનિંગે એને વારંવાર થતા એક જ પ્રકારના ફેરફારનો નિયમ (લૉ ઑફ રીકરન્ટ વેરીયેશન) કહ્યો. એનો અર્થ થાય કે, ‘કોષોમાં ફેરફાર કર્યા પછી પેદા થયેલા સંતાનો ભલે થોડા બદલાયેલા લાગે, સમય બાદ એ પહેલાના જેવા જ પાછા થઈ જાય છે.’ વૈજ્ઞાનિકોએ જે છોડના કોષોમાં ભેળસેળ કરી હતી એમાંના એક ટકાથી પણ ઓછા છોડ પર તેઓ વધારે અભ્યાસ કરી શક્યા. પછી એ છોડમાંથી ફક્ત એકાદ ટકા છોડ બજારમાં વેચવા લાયક હતા. પ્રાણીઓના જિન્સમાં જે ભેળસેળ કરી હતી એનું પરિણામ તો વનસ્પતિથી પણ વધારે ખરાબ આવ્યું. એટલે તેઓએ એ વૈજ્ઞાનિક ક્ષેત્રને સાવ છોડી દીધું.