ફૂટનોટ
a સાફ અંતઃકરણથી કરેલાં કામો પણ ખોટાં હોઈ શકે. પાઉલનો દાખલો લો. તે ખ્રિસ્તી બન્યા પહેલાં, ઈસુના શિષ્યોની સતાવણી કરતા હતા. તેમની જેમ બીજા લોકો પણ શિષ્યોની સતાવણી કરતા. એવી સતાવણી કરતી વખતે તેઓનું મન ડંખતું ન હતું. તેઓ તો માનતા હતા કે પોતે ઈશ્વરની ઇચ્છા પૂરી કરે છે. પાઉલે કહ્યું, “જોકે હું પોતાને કોઈ પણ વાતમાં દોષિત જાણતો નથી, તોપણ એથી હું ન્યાયી ઠરતો નથી; પણ મારો ન્યાય કરનાર તે પ્રભુ [યહોવા] છે.” (૧ કરિંથી ૪:૪) એટલે આપણે ભલે સાફ અંતઃકરણથી કંઈક કરીએ, તોપણ ધ્યાન રાખવું જોઈએ કે યહોવાની નજરે એ બરાબર છે કે નહિ.—પ્રેરિતોનાં કૃત્યો ૨૩:૧; ૨ તિમોથી ૧:૩.