ફૂટનોટ
b તેર્તુલુસે ફેલિક્સનો આભાર માન્યો અને કહ્યું કે તેના લીધે દેશના લોકો ‘સુખચેનથી જીવે છે.’ પણ હકીકત કંઈક જુદી જ હતી. અગાઉના કોઈ રાજ્યપાલ કરતાં ફેલિક્સના રાજમાં સૌથી વધારે અશાંતિ હતી. તેર્તુલુસની આ વાત પણ ખોટી હતી કે ફેલિક્સે કરેલી યોજનાઓને લીધે દેશમાં સુધારા થઈ રહ્યા હતા અને એ માટે યહૂદીઓ ‘ખૂબ આભારી’ હતા. મોટા ભાગના યહૂદીઓ તો ફેલિક્સને નફરત કરતા હતા. કેમ કે તેણે તેઓનું જીવવું હરામ કરી નાખ્યું હતું અને બળવો દાબી દેવા તેઓ સાથે ક્રૂર રીતે વર્ત્યો હતો.—પ્રે.કા. ૨૪:૨, ૩.