ફૂટનોટ
c ૨૯ની સાલમાં ઈસુએ બાપ્તિસ્મા લીધું અને પ્રમુખ યાજક તરીકેની સેવા શરૂ કરી. એ સમયથી ભવ્ય મંદિરની ગોઠવણની શરૂઆત થઈ. ઈસુના પ્રેરિતોના મરણ પછી યહોવાની ભક્તિને લોકોએ ધ્યાન આપ્યું નહિ. ધીમે ધીમે તેઓ એને ભૂલી ગયા. પછી ખાસ કરીને ૧૯૧૯થી યહોવાની ભક્તિ ફરી જોરશોરથી થવા લાગી.