ફૂટનોટ
a યહોવાહના સાક્ષીઓની સતાવણી કરવામાં આવે અથવા તેઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે તોપણ, પરમેશ્વરના રાજ્યને સમર્થન આપવા તેઓ રાજકારણમાં અથવા દુન્યવી સરકારો વિરુદ્ધ બળવો પોકારવામાં ભાગ લેતા નથી. (તીતસ ૩:૧) એને બદલે, તેઓ ઈસુએ અને પ્રથમ સદીના શિષ્યોએ કર્યું તેમ, આત્મિક અને બિનરાજકીય બાબતોમાં ઉપયોગી થવાનો પ્રયત્ન કરે છે. સાક્ષીઓ પ્રામાણિક લોકોને તેઓના સમાજમાં, કુટુંબમાં પ્રેમ, પ્રામાણિકતા, નૈતિક શુદ્ધતા અને સારાં નૈતિક કાર્યો જેવા બાઇબલના વિષયો પર સમજણ મેળવવા મદદ કરે છે. ખાસ કરીને તેઓ બાઇબલ સિદ્ધાંતોને જીવનમાં કઈ રીતે લાગુ પાડવા એ શીખવવા અને પરમેશ્વરના રાજ્યને માણસજાતની ખરી આશા તરીકે જોવા મદદ કરવા પ્રયત્ન કરે છે.