ફૂટનોટ
a નહેમ્યાહ ૩:૫ જણાવે છે કે અમુક આગળ પડતા યહુદી “અમીરોએ” તેઓને એ કામમાં મદદ કરી ન હતી. જોકે એવા તો અમુક જ હતા. નહેમ્યાહ ૩:૧, ૮, ૯, ૩૨ જણાવે છે કે એ કામમાં યાજકો, સોની, અત્તર બનાવનારાઓ, સૂબા અને વેપારીઓએ પણ ટેકો આપ્યો હતો.
[પાન ૨૮, ૨૯ પર બોક્સ⁄ચિત્રો]
દાન આપવાની કેટલીક રીતો
આખા જગતમાં પ્રચાર માટે દાન
ઘણા લોકો નિયમિત રીતે અમુક રકમ અલગ રાખે છે અને મંડળમાં “જગતવ્યાપી પ્રચાર કાર્ય માટે પ્રદાન—માત્થી ૨૪:૧૪” લેબલવાળી પેટીમાં મૂકે છે.
દર મહિને મંડળોને જે દાન મળે છે એ રકમ, તેઓના દેશની યહોવાહના સાક્ષીઓની ઑફીસને કે બ્રુકલિન, ન્યૂયૉર્કમાં આવેલી હૅડ ઑફીસને મોકલવામાં આવે છે. તમે પણ તમારી મરજી પ્રમાણે Treasurer’s Office, Watch Tower Bible and Tract Society of Pennsylvania, 25 Columbia Heights, Brooklyn, New York 11201-2483, કે તમારા દેશમાં આવેલી ઑફીસને દાન મોકલી શકો છો. તમે ઘરેણાં કે એના જેવી બીજી વસ્તુઓ પણ દાનમાં આપી શકો. તમે આવી કોઈ વસ્તુ આપતા હોવ ત્યારે, એ લખીને જણાવો કે તમે એ ધર્માદામાં આપો છો.
શરતી-દાન ગોઠવણ
ખાસ ગોઠવણ દ્વારા પણ પૈસા આપી શકાય, જેમાં દાન આપનારને પૈસાની જરૂર હોય ત્યારે, તે પોતાના પૈસા પાછા મેળવી શકે છે. વધુ માહિતી માટે, કૃપા કરીને ઉપર જણાવેલા સરનામા પર ટ્રેઝરરની ઑફિસનો સંપર્ક કરો.
દાન આપવાની બીજી રીતો
દાનો અને શરતી દાનો આપવા ઉપરાંત, આખી દુનિયામાં પરમેશ્વરના રાજ્યના પ્રચાર કાર્ય માટે દાન આપવાની અનેક રીતો છે. એમાં નીચે જણાવેલી કેટલીક રીતોનો સમાવેશ થાય છે:
વીમો: જીવન વીમાની પોલિસીમાં કે પેન્શનના ફૉર્મમાં, વારસદાર તરીકે વૉચ ટાવર સોસાયટીનું નામ આપી શકાય.
બૅંક ખાતાઓ: બૅંકમાં મૂકેલા પૈસા, ફિક્સ્ડ ડિપોઝિટના સર્ટિફિકેટ, અથવા બૅંકમાં જમા થતા પેન્શનના પૈસા વૉચ ટાવર સોસાયટી માટે ટ્રસ્ટમાં મૂકી શકાય, જેથી તમારા મરણ પછી એ સોસાયટીને મળે. અથવા, મરણ પછી એ વૉચ ટાવર સોસાયટીને મળે એવી ગોઠવણ કરી શકાય. એ માટે તમે બૅંકને અગાઉથી જરૂરી માહિતી આપી શકો.
શેર અને બૉન્ડ્સ: શેર અને બૉન્ડ્સ પણ વૉચ ટાવર સોસાયટીને દાનમાં આપી શકાય.
જમીન કે મિલકત: વેચાણ થઈ શકે એવી જમીન કે મિલકત વૉચ ટાવર સોસાયટીને દાન કરી શકાય છે. દાન કરનાર પોતે જીવે ત્યાં સુધી એમાં રહી શકે. તમારી કોઈ પણ મિલકત તમારા દેશની ઑફિસને નામે કરતાં પહેલાં વૉચ ટાવર સોસાયટીને જણાવો.
વાર્ષિકી ગોઠવણ: આ ગોઠવણ હેઠળ, તમે તમારા પૈસા કે મિલકત વૉચટાવર સોસાયટીને નામે કરી શકો. પછી, આ ગોઠવણ પ્રમાણે તમે અથવા તમે જેને નિયુક્ત કરો એ વ્યક્તિ જીવનભર દર વર્ષે અમુક રકમ મેળવશે. જે વર્ષથી તમે આ ગોઠવણ શરૂ કરો ત્યારથી, દેશના નિયમ પ્રમાણે તમને આવકવેરામાં અમુક લાભ મળશે.
વસિયત (વિલ) અને ટ્રસ્ટ: મિલકત કે પૈસા, કાયદેસર તૈયાર કરેલા વસિયતનામાથી વૉચ ટાવર સોસાયટીને નામે કરી શકાય. અથવા અમુક કિસ્સાઓમાં ટ્રસ્ટ દ્વારા વૉચટાવર સોસાયટીને આપી શકાય જેથી, સોસાયટી સરકારી ગોઠવણ પ્રમાણે કર નિવારી શકે.
આપણે જોયું તેમ, દાન આપવાની અનેક રીતો છે અને તમે દાન આપવા માગતા હોવ તો, એ માટે અગાઉથી તૈયારી કરવી જોઈએ. આખી દુનિયામાં યહોવાહના સાક્ષીઓ રાજ્યનો જે પ્રચાર કરી રહ્યા છે એને દાનોથી ટેકો આપવા ઇચ્છતા લોકો માટે, અંગ્રેજી અને સ્પેનિશમાં એક પુસ્તિકા બહાર પાડવામાં આવી છે. એનું નામ ચૅરીટેબલ પ્લાનીંગ ટુ બેનીફીટ કિંગડમ સર્વિસ વર્લ્ડવાઈડ છે. ઘણા લોકોએ પૂછ્યું હતું કે ભેટો, વસિયત અને ટ્રસ્ટથી તેઓને દાન કરવું હોય તો તેઓએ શું કરવું જોઈએ, એના જવાબમાં આ પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે. એમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે જમીન, મિલકત કે પૈસા દાનમાં આપવાથી કઈ રીતે કરમાં લાભ મળી શકે. એ પુસ્તિકા બીજી અનેક રીતો જણાવે છે કે તમે હમણાં કઈ રીતે દાન કરી શકો અથવા મરણ પછી વસિયત દ્વારા કઈ રીતે સંસ્થાને પૈસા કે મિલકતો દાનમાં આપી શકો. તમે આ પુસ્તિકા ચેરીટેબલ પ્લાનીંગ ઑફિસને પત્ર લખીને મંગાવી શકો.
ઘણા લોકોએ આ પુસ્તિકા વાંચીને ચેરીટેબલ પ્લાનીંગ ઑફિસ સાથે ચર્ચા કર્યા પછી, આખી દુનિયામાં ચાલતા પ્રચાર કાર્ય માટે દાનો આપીને મદદ કરી શક્યા છે. એમ કરવાથી તેઓને કરમાં પણ લાભો મળ્યા છે. તમે આવી કોઈ ગોઠવણોનો લાભ લઈને દાન કરવા ઇચ્છતા હોવ તો, નીચે આપેલા સરનામા પર પત્ર કે ટેલિફોન દ્વારા ચેરીટેબલ પ્લાનીંગ ઑફિસનો સંપર્ક સાધો અથવા તમારા દેશની યહોવાહના સાક્ષીઓની ઑફિસને લખી જણાવો. ત્યાર બાદ, તેઓના માર્ગદર્શન હેઠળ ચેરીટેબલ પ્લાનીંગ ઑફિસને એને લગતા દસ્તાવેજોની ઝેરોક્સ નકલ મોકલો.
Charitable Planning Office
Watch Tower Bible and Tract Society of Pennsylvania
100 Watchtower Drive,
Patterson, New York 12563-9204
Telephone: (845) 306-0707
[પાન ૩૦ પર બોક્સ]
દાન આપવા વિષે શું યાદ રાખવું જોઈએ?
પ્રેષિત પાઊલે કોરીંથી મંડળને લખેલા પત્રમાં, દાન આપતી વખતે ત્રણ બાબતો ધ્યાનમાં રાખવા ઉત્તેજન આપ્યું હતું. તેમણે લખ્યું: “દર અઠવાડીઆને પહેલે દિવસે તમારામાંના દરેકે પોતાની કમાણી પ્રમાણે કંઈક રાખી મૂકવું.” (૧ કોરીંથી ૧૬:૨) આ કલમમાં પાઊલ બે બાબતો બતાવે છે: (૧) આપણે અગાઉથી દાન આપવા માટે કંઈક રાખી મૂકવું. (૨) આપણે પોતાની “કમાણી પ્રમાણે” આપવું. બીજી રીતે કહીએ તો, આપણે રાજીખુશીથી પોતાના ગજા પ્રમાણે દાન આપવું જોઈએ. તેથી, જો આપણે ઓછું કમાતા હોઈએ અને થોડું જ દાન આપી શકતા હોય તોપણ, યહોવાહ એની ખૂબ જ કદર કરે છે. (લુક ૨૧:૧-૪) (૩) ત્રીજી બાબત પાઊલ ૨ કોરીંથી ૯:૭માં બતાવે છેઃ “દરેકે પોતાના હૃદયમાં અગાઉથી ઠરાવ્યું છે, તે પ્રમાણે તેણે આપવું; ખેદથી નહિ, કે ફરજિયાત નહિ; કેમકે ખુશીથી આપનારને દેવ ચાહે છે.” આ કલમમાં પાઊલ બતાવે છે કે આપણે રાજીખુશીથી દાન આપવું જોઈએ.
[પાન ૨૬ પર ચિત્રો]
નહેમ્યાહે સાચી ઉપાસના માટે ખરો પ્રેમ અને ઉત્સાહ બતાવ્યો
[પાન ૩૦ પર ચિત્રો]
આપણે રાજીખુશીથી જે દાનો આપીએ છીએ એનો છાપકામમાં, કુદરતી આફતોના સમયે રાહત કામોમાં, રાજ્યગૃહો બાંધવામાં અને બીજી અનેક રીતે ભાઈઓને ટેકો આપવા ઉપયોગ કરવામાં આવે છે