ફૂટનોટ
e મીનોસ કોકીનાકાસી ધર્મ વિષે કોર્ટ કેસ જીત્યા, એ જાણવા અંગ્રેજી ચોકીબુરજ, સપ્ટેમ્બર ૧, ૧૯૯૩, પાન ૨૭-૩૧ જુઓ.
[પાન ૨૭ પર બોક્સ]
મેક્રોનીસોસ જુલમનો ટાપુ
આ ઉજ્જડ અને સૂકા ટાપુ પર ૧૯૪૭-૫૭માં ૧,૦૦,૦૦૦થી પણ વધારે કેદીઓને જેલમાં પૂરવામાં આવ્યા હતા. એમાંના ઘણા યહોવાહના સાક્ષીઓ હતા. તેઓ પોતાના ધર્મને કારણે લશ્કરમાં જોડાતા ન હતા. એ કારણે તેઓને પણ ત્યાંની જેલમાં મોકલવામાં આવ્યા હતા. ગ્રીક ઑર્થોડૉક્સ ચર્ચના પાદરીઓએ યહોવાહના સાક્ષીઓ પર જૂઠા આરોપો મૂક્યા હતા કે, તેઓ સામ્યવાદીઓ છે. તેથી તેઓને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
કેદીઓ પોતાની ભૂલ “સુધારે” એ માટે તેઓને મેક્રોનીસોસ જેલમાં રાખવામાં આવતા. તેઓ સાથે કેવો વ્યવહાર કરવામાં આવતો? એ વિષે પપાઇરોસ લારોસા બ્રિટાનીકા એન્સાયક્લોપેડિયા ગ્રીકમાં આમ કહે છે: “વ્યક્તિ સામાન્ય રીતે રહી ન શકે એવી ત્યાં પરિસ્થિતિ છે; . . કેદીને ક્રૂર રીતે રિબાવવામાં આવે છે, અને તેઓની ચોકી કરતા પોલીસો તેઓ સાથે જંગલી પ્રાણીઓ જેવો વર્તાવ કરતા હોય છે. . . . ત્યાં જે થઈ રહ્યું છે એનાથી ગ્રીસના નામ પર પાણી ફરી વળ્યું છે.”
એ જેલમાંના ઘણા યહોવાહના સાક્ષીઓને કહેવામાં આવ્યું હતું કે, તમે તમારો ધર્મ નહિ છોડો તો, તમને કદી છોડવામાં આવશે નહિ. તેમ છતાં યહોવાહના સાક્ષીઓએ પોતાનો ધર્મ છોડ્યો નહિ. વધુમાં, એ જેલમાં અમુક રાજકીય કેદીઓ પણ હતા જેઓ સાક્ષીઓ પાસેથી સાચા ધર્મ વિષે શીખ્યા, અને પછી યહોવાહના સાક્ષીઓ પણ બન્યા.
[પાન ૨૭ પર ચિત્ર]
મીનોસ કોકીનાકાસી, જમણી બાજુથી ત્રીજા અને હું, ડાબી બાજુથી ચોથો, મેક્રોનીસોસ ટાપુની જેલમાં
[પાન ૨૯ પર ચિત્ર]
ક્રિતના શીતીઆ મંડળના ભાઈ સાથે સેવાકાર્યમાં, જેમને હું મારી યુવાનીથી ઓળખું છું