ફૂટનોટ
a જૈતુન વૃક્ષનો દાખલો પ્રાચીન ઈસ્રાએલને દર્શાવતું નથી. ખરું કે એમાંથી અમુક લોકો રાજા અને યાજકો બન્યા તોપણ એ પ્રજા, યાજકોનું રાજ્ય બની શકી નહિ. એનું કારણ એ હતું કે મુસાના નિયમ પ્રમાણે રાજાઓ, યાજકો બની શકતા ન હતા. એ સાબિત કરે છે કે જૈતુન વૃક્ષ, પ્રાચીન ઈસ્રાએલને રજૂ કરતું ન હતું. આ વૃક્ષના ઉદાહરણથી પાઊલ સમજાવતા હતા કે અભિષિક્ત જનો દ્વારા યહોવાહે કઈ રીતે “યાજકોનું રાજ્ય” વિષેનો તેમનો હેતુ પૂરો કર્યો. ઑગસ્ટ ૧૫, ૧૯૮૩ના વૉચટાવર પાન ૧૪-૧૯માં આપેલી માહિતી કરતાં આ હવે નવી સમજણ છે.