ફૂટનોટ
e યશાયા ૪૧:૧૦, ૧૩ અને ૧૪માં “બીશ મા” અથવા ‘ડર ન રાખ’ જેવા શબ્દો વારંવાર વપરાયા છે. એ કલમોમાં વારંવાર “હું” શબ્દ (એટલે કે યહોવા) પણ જોવા મળે છે. એ કલમોમાં શા માટે યહોવાએ વારંવાર “હું” શબ્દનો ઉપયોગ કર્યો છે? યહોવા આ મહત્ત્વની વાત પર ભાર મૂકવા માંગતા હતા: યહોવામાં ભરોસો રાખીશું તો જ આપણો ડર દૂર થશે.