ફૂટનોટ
a ઘણી કસોટીનો સામનો કર્યો હોય એવી વ્યક્તિઓ વિશે વિચારતા હોઈએ ત્યારે કદાચ એક નામ મનમાં આવે. એ છે અયૂબ. તે કસોટીઓમાં પણ વફાદાર રહ્યા. તેમના દાખલામાંથી શું શીખી શકીએ? (૧) શેતાન જબરજસ્તી કરી શકતો નથી કે આપણે યહોવાને છોડી દઈએ. (૨) આપણે કેવા સંજોગોનો સામનો કરી રહ્યા છીએ, એ વિશે યહોવાને બધું જ ખબર છે. (૩) યહોવાએ જેમ અયૂબની બધી મુશ્કેલી દૂર કરી તેમ તે આપણી તકલીફોને પણ પૂરી રીતે દૂર કરી દેશે. જો આપણને એ ત્રણેય વાત પર ભરોસો હશે અને એ પ્રમાણે કામો કરતા હોઈશું, તો બતાવી આપીશું કે આપણે ‘યહોવામાં આશા રાખીએ છીએ.’