ફૂટનોટ
a ૨૦૨૩નું વાર્ષિક વચન આ છે: “સત્ય એ જ તમારા વચનનો સાર છે.” (ગીત. ૧૧૯:૧૬૦) આ વાર્ષિક વચન આપણને દર વખતે યાદ અપાવશે કે બાઇબલ યહોવાનું વચન છે અને એ વાત પર આપણો ભરોસો મજબૂત કરશે. તમને પણ ચોક્કસ એ વાત પર ભરોસો હશે. પણ ઘણા લોકોને બાઇબલ પર ભરોસો કરવો અઘરું લાગે છે. તેઓને લાગે છે કે એની સલાહ કંઈ કામ નહિ આવે. આ લેખમાં ત્રણ પુરાવા જોઈશું, જે આપણે નમ્ર લોકોને બતાવી શકીએ. એનાથી તેઓને પણ બાઇબલ અને એની સલાહ પર ભરોસો કરવા મદદ મળશે.