ફૂટનોટ
d આસા રાજાએ ઘણી ગંભીર ભૂલો કરી હતી. (૨ કાળ. ૧૬:૭, ૧૦) પણ બાઇબલમાં તેના વિશે લખ્યું છે કે તેણે એ જ કર્યું, જે યહોવાની નજરમાં ખરું હતું. જ્યારે યહોવાના પ્રબોધકે તેને ઠપકો આપ્યો, ત્યારે પહેલા તો તે ખરાબ રીતે વર્ત્યો, પણ કદાચ પછીથી તેણે પસ્તાવો કર્યો. યહોવાએ તેની ભૂલ પર નહિ, તેના સારા ગુણો પર વધારે ધ્યાન આપ્યું. ધ્યાન આપો કે આસા રાજા ફક્ત યહોવાની ભક્તિ કરતો હતો અને તેણે પોતાના રાજ્યમાંથી મૂર્તિપૂજાનું નામનિશાન મિટાવવા પૂરા પ્રયત્નો કર્યા હતા.—૧ રાજા. ૧૫:૧૧-૧૩; ૨ કાળ. ૧૪:૨-૫.