ફૂટનોટ
a ખુશખબરના પુસ્તકોમાં અને બાઇબલના બીજા પુસ્તકોમાં જોવા મળે છે કે ઈસુને જીવતા કરવામાં આવ્યા એ પછી તે ઘણી વાર બીજાઓને દેખાયા હતા. જેમ કે, મરિયમ માગદાલેણને (યોહા. ૨૦:૧૧-૧૮); બીજી સ્ત્રીઓને (માથ. ૨૮:૮-૧૦; લૂક ૨૪:૮-૧૧); બે શિષ્યોને (લૂક ૨૪:૧૩-૧૫); પિતરને (લૂક ૨૪:૩૪); પ્રેરિતોને, જ્યારે થોમા તેઓની સાથે હાજર ન હતો (યોહા. ૨૦:૧૯-૨૪); પ્રેરિતોને, જ્યારે થોમા તેઓની સાથે હાજર હતો (યોહા. ૨૦:૨૬); સાત શિષ્યોને (યોહા. ૨૧:૧, ૨); ૫૦૦ કરતાં વધારે શિષ્યોને (માથ. ૨૮:૧૬; ૧ કોરીં. ૧૫:૬); પોતાના ભાઈ યાકૂબને (૧ કોરીં. ૧૫:૭); બધા પ્રેરિતોને (પ્રે.કા. ૧:૪); અને બેથનિયા નજીક પ્રેરિતોને. (લૂક ૨૪:૫૦-૫૨) બની શકે કે ઈસુ બીજા પ્રસંગોએ પણ પોતાના શિષ્યોને મળ્યા હોય, પણ એનો ઉલ્લેખ બાઇબલમાં નથી.—યોહા. ૨૧:૨૫.