ફૂટનોટ
b એફેસીઓ ૧:૧૦માં પાઉલે કહ્યું હતું, ‘સ્વર્ગનું બધું જ ભેગું’ કરવામાં આવશે. માથ્થી ૨૪:૩૧ અને માર્ક ૧૩:૨૭માં ઈસુએ કહ્યું હતું, “ઈશ્વરના પસંદ કરાયેલાને ભેગા” કરવામાં આવશે. ભેગા કરવા વિશે એ બંનેએ જે કહ્યું, એ એકબીજાથી એકદમ અલગ છે. પાઉલ એ સમયની વાત કરી રહ્યા છે, જ્યારે યહોવા પોતાની પવિત્ર શક્તિથી અભિષેક કરીને એ લોકોને પસંદ કરે છે, જેઓ ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરશે. ઈસુ એ સમયની વાત કરી રહ્યા છે, જ્યારે પૃથ્વી પર બાકી રહેલા અભિષિક્તોને મોટી વિપત્તિ દરમિયાન સ્વર્ગમાં ભેગા કરવામાં આવશે.