વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g21 નં. ૧ પાન ૧૪
  • ઈશ્વરને ઓળખીએ, તેમના માર્ગે ચાલીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વરને ઓળખીએ, તેમના માર્ગે ચાલીએ
  • સજાગ બનો!—૨૦૨૧
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઈશ્વરનું એક નામ છે
  • યહોવા પ્રેમના સાગર છે
  • યહોવા માફ કરે છે
  • યહોવા પ્રાર્થનાના સાંભળનાર છે
  • યહોવા—અજોડ રીતે માફ કરનાર
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • ઈશ્વર વિશે શીખો
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • એકબીજાને દિલથી માફ કરો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • બીજાઓને માફ કરવા તૈયાર રહો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૨૧
g21 નં. ૧ પાન ૧૪

ઈશ્વરને ઓળખીએ, તેમના માર્ગે ચાલીએ

ઈશ્વર હાડમાંસના બનેલા નથી. તેમની પાસે અપાર શક્તિ છે. તેમના ગુણો અજોડ છે. તે આપણી પ્રાર્થનાઓ સાંભળે છે અને આપણી લાગણીઓ સમજે છે. તેમણે પોતાના વિશે આપણને ઘણું જણાવ્યું છે, જેથી આપણે તેમના દોસ્ત બની શકીએ. ચાલો તેમના વિશે જાણીએ.—યોહાન ૧૭:૩; યાકૂબ ૪:૮.

ઈશ્વરનું એક નામ છે

“બધા લોકો જાણે કે તમારું નામ યહોવા છે અને આખી પૃથ્વી પર તમે એકલા જ સર્વોચ્ચ ઈશ્વર છો.”—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.

બાઇબલમાં જણાવ્યું છે કે ફક્ત એક જ સાચા ઈશ્વર છે. તેમનું નામ યહોવા છે. તેમણે આખું વિશ્વ, ચંદ્ર, તારા, પૃથ્વી અને એના પરના બધાં જીવજંતુઓ, પ્રાણીઓ તથા મનુષ્યને બનાવ્યા. ફક્ત તે જ આપણી ભક્તિના હકદાર છે.—પ્રકટીકરણ ૪:૧૧.

યહોવા પ્રેમના સાગર છે

ઈશ્વરનું નામ યહોવા હિંદી, પંજાબી, ગુજરાતી, તેલુગુ, તામિલ અને અંગ્રેજી ભાષામાં લખેલું છે.

“ઈશ્વર પ્રેમ છે.”—૧ યોહાન ૪:૮.

બાઇબલ અને સૃષ્ટિમાંથી યહોવાના અનેક ગુણો જોવા મળે છે. પ્રેમ એ ઈશ્વરની ઓળખ છે. યહોવા વિશે શીખતા જઈશું તેમ, તેમના માટેનો આપણો પ્રેમ વધતો જશે.

યહોવા માફ કરે છે

‘ઈશ્વર માફ કરવા તૈયાર છે.’—નહેમ્યા ૯:૧૭.

યહોવા જાણે છે કે મનુષ્યો ડગલે ને પગલે ભૂલો કરે છે. એટલે ‘તે માફ કરવા પણ તૈયાર રહે છે.’ આપણાથી ભૂલ થઈ જાય તો શું કરવું જોઈએ? પસ્તાવો કરીએ, માફી માંગીએ અને એવી ભૂલો ફરી ન કરીએ. એમ કરવાથી યહોવા આપણને માફ કરે છે અને સજા કરતા નથી.—ગીતશાસ્ત્ર ૧૦૩:૧૨, ૧૩.

યહોવા પ્રાર્થનાના સાંભળનાર છે

“યહોવા એવા લોકોની નજીક છે, જેઓ તેમને પોકારે છે, મદદનો પોકાર સાંભળીને તે તેઓને છોડાવે છે.”—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૮, ૧૯.

યહોવાને કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ? તેમને પ્રાર્થના કરવા કોઈ મૂર્તિ કે વિધિની જરૂર નથી. જેમ માબાપ પોતાના બાળકોની વાત સાંભળે છે, તેમ યહોવા દિલથી કરેલી આપણી પ્રાર્થના સાંભળે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • Privacy Settings
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો