-
‘ઈશ્વરની શક્તિથી ઉત્સાહી થઈએ’ચોકીબુરજ—૨૦૦૯ | ઑક્ટોબર ૧
-
-
૯. શા માટે પાઊલ અભિષિક્ત ખ્રિસ્તીઓને શરીરના અવયવોનો દાખલો આપે છે?
૯ રૂમી ૧૨:૪, ૫, ૯, ૧૦ વાંચો. અહીંયા પાઊલ અભિષિક્ત ખ્રિસ્તીઓને શરીરના અવયવો સાથે સરખાવે છે. આ ઉદાહરણથી પાઊલે સમજાવ્યું કે તેઓ ‘પોતાના શિર’ ઈસુ ખ્રિસ્ત સાથે સંપીને કામ કરે છે. (કોલો. ૧:૧૮) પાઊલે અભિષિક્ત ખ્રિસ્તીઓનું ધ્યાન દોર્યું કે જેવી રીતે અવયવો અલગ હોવા છતાં એક જ શરીરનો ભાગ છે, એવી જ રીતે તમે પણ ‘ઘણાં હોવા છતાં ખ્રિસ્તમાં એક શરીર’ જેવા છો. પાઊલે એફેસસના ભાઈ-બહેનોને જણાવ્યું કે “ખ્રિસ્ત જે શિર છે, તેમાં સર્વ પ્રકારે વધીએ; એનાથી આખું શરીર ગોઠવાઈને તથા દરેક સાંધા વડે જોડાઈને, દરેક અંગ પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કર્યાથી, પ્રેમમાં પોતાની ઉન્નતિને સારૂ પોતાની વૃદ્ધિ કરે છે.”—એફે. ૪:૧૫, ૧૬.
-
-
‘ઈશ્વરની શક્તિથી ઉત્સાહી થઈએ’ચોકીબુરજ—૨૦૦૯ | ઑક્ટોબર ૧
-
-
૧૧. એકરાગે ભક્તિ કરવામાં શું મદદ કરી શકે? પાઊલે બીજી કઈ સલાહ આપી?
૧૧ “પ્રીતિ જે સંપૂર્ણતાનું બંધન છે” એના આધારે પણ એકરાગે ભક્તિ કરવા મદદ મળે છે. (કોલો. ૩:૧૪) રૂમીના ૧૨માં અધ્યાયમાં પાઊલ જણાવે છે: ‘તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય. તમારે ભાઈચારાની લાગણીથી એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ.’ આ રીતે કરીશું તો, એકબીજા માટે માન વધશે. પાઊલ એ પણ જણાવે છે કે “માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો.” પણ આપણા પ્રેમને લીધે બીજાની ભૂલ છુપાવવી ન જોઈએ. પાઊલે પ્રેમ વિષે સલાહ આપતા જણાવ્યું: “જે ભૂંડું છે તેને ધિક્કારો; જે સારૂં છે તેને વળગી રહો.” એટલે મંડળને શુદ્ધ રાખવા બનતું બધું જ કરીએ.
-