વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ‘ઈશ્વરની શક્તિથી ઉત્સાહી થઈએ’
    ચોકીબુરજ—૨૦૦૯ | ઑક્ટોબર ૧
    • ૯. શા માટે પાઊલ અભિષિક્ત ખ્રિસ્તીઓને શરીરના અવયવોનો દાખલો આપે છે?

      ૯ રૂમી ૧૨:૪, ૫, ૯, ૧૦ વાંચો. અહીંયા પાઊલ અભિષિક્ત ખ્રિસ્તીઓને શરીરના અવયવો સાથે સરખાવે છે. આ ઉદાહરણથી પાઊલે સમજાવ્યું કે તેઓ ‘પોતાના શિર’ ઈસુ ખ્રિસ્ત સાથે સંપીને કામ કરે છે. (કોલો. ૧:૧૮) પાઊલે અભિષિક્ત ખ્રિસ્તીઓનું ધ્યાન દોર્યું કે જેવી રીતે અવયવો અલગ હોવા છતાં એક જ શરીરનો ભાગ છે, એવી જ રીતે તમે પણ ‘ઘણાં હોવા છતાં ખ્રિસ્તમાં એક શરીર’ જેવા છો. પાઊલે એફેસસના ભાઈ-બહેનોને જણાવ્યું કે “ખ્રિસ્ત જે શિર છે, તેમાં સર્વ પ્રકારે વધીએ; એનાથી આખું શરીર ગોઠવાઈને તથા દરેક સાંધા વડે જોડાઈને, દરેક અંગ પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કર્યાથી, પ્રેમમાં પોતાની ઉન્‍નતિને સારૂ પોતાની વૃદ્ધિ કરે છે.”—એફે. ૪:૧૫, ૧૬.

  • ‘ઈશ્વરની શક્તિથી ઉત્સાહી થઈએ’
    ચોકીબુરજ—૨૦૦૯ | ઑક્ટોબર ૧
    • ૧૧. એકરાગે ભક્તિ કરવામાં શું મદદ કરી શકે? પાઊલે બીજી કઈ સલાહ આપી?

      ૧૧ “પ્રીતિ જે સંપૂર્ણતાનું બંધન છે” એના આધારે પણ એકરાગે ભક્તિ કરવા મદદ મળે છે. (કોલો. ૩:૧૪) રૂમીના ૧૨માં અધ્યાયમાં પાઊલ જણાવે છે: ‘તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય. તમારે ભાઈચારાની લાગણીથી એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ.’ આ રીતે કરીશું તો, એકબીજા માટે માન વધશે. પાઊલ એ પણ જણાવે છે કે “માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો.” પણ આપણા પ્રેમને લીધે બીજાની ભૂલ છુપાવવી ન જોઈએ. પાઊલે પ્રેમ વિષે સલાહ આપતા જણાવ્યું: “જે ભૂંડું છે તેને ધિક્કારો; જે સારૂં છે તેને વળગી રહો.” એટલે મંડળને શુદ્ધ રાખવા બનતું બધું જ કરીએ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો