વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ‘જેવા સાથે તેવા’ ન થાવ
    ચોકીબુરજ—૨૦૦૭ | જુલાઈ ૧
    • ‘વેર ન વાળો’

      ૧૫. વેર ન વાળવા વિષે રૂમી ૧૨:૧૯ કેવી સલાહ આપે છે?

      ૧૫ આપણે કદીયે સામે વેર ન વાળીએ, કેમ કે એ જ સચ્ચાઈની રાહ છે. પાઊલે કહ્યું હતું કે ‘ઓ વહાલાઓ, તમે સામું વેર ન વાળો, પણ એ ઈશ્વર પર છોડી દો; કેમ કે લખેલું છે, કે યહોવાહ કહે છે, કે વેર વાળવું એ મારૂં કામ છે; હું બદલો લઈશ.’ (રૂમી ૧૨:૧૯) વેર વાળનાર અભિમાની છે, ઘમંડી છે. તે ઈશ્વરનું કામ પોતાને માથે લઈ લે છે. (માત્થી ૭:૧) બીજું કે તેની શ્રદ્ધામાં ખોટ છે, કેમ કે તે ઈશ્વરની રાહ જોતો નથી. પણ ઈશ્વરભક્તોને યહોવાહમાં પૂરો ભરોસો છે. તે ચોક્કસ ‘પોતાના પસંદ કરેલાને ન્યાય આપશે,’ કેમ કે યહોવાહ કહે છે કે “હું બદલો લઈશ.” (લુક ૧૮:૭, ૮; ૨ થેસ્સાલોનીકી ૧:૬-૮) યહોવાહ પોતે દુષ્ટ માણસોનો બદલો લેશે.—યિર્મેયાહ ૩૦:૨૩, ૨૪; રૂમી ૧:૧૮.

  • ‘જેવા સાથે તેવા’ ન થાવ
    ચોકીબુરજ—૨૦૦૭ | જુલાઈ ૧
    • ૧૮. આપણે કેમ બદલો ન લેવો જોઈએ?

      ૧૮ રૂમીના બારમા અધ્યાયની આપણે ટૂંકમાં ચર્ચા કરી. આપણે શીખ્યા કે કેમ ‘ભૂંડાઈને બદલે ભૂંડું ન કરવું’ જોઈએ. પહેલું કારણ, એ જ ભલાઈનો માર્ગ છે. યહોવાહે આપણા પર કેટલી કૃપા વરસાવી છે! આપણને તેમનો સાથ છોડવો જ નથી, એટલે તેમની આજ્ઞાઓ રાજી-ખુશીથી પાળીશું. યહોવાહ કહે છે કે આપણે દુશ્મનોને પણ ચાહીએ. બીજું, બૂરાઈનો બદલો બૂરાઈથી ન વાળીએ, એ પ્રેમનો માર્ગ છે. ભલે કોઈ આપણું જાની દુશ્મન હોય તોપણ, બધા સાથે હળી-મળીને રહીએ. આપણી આશા છે કે તે પણ એક દિવસ યહોવાહનો ભક્ત બને. ત્રીજું, વેરનો બદલો વેરથી ન વાળીને, આપણે સચ્ચાઈનો માર્ગ પકડી રાખીએ છીએ. યહોવાહ કહે છે કે ‘વેર વાળવું મારૂં કામ છે.’ એટલે જો આપણે વેર વાળીએ તો અભિમાની બની, ઈશ્વરની આગળ દોડી જઈએ છીએ. બાઇબલ ચેતવણી આપે છે: “અહંકાર આવે છે, ત્યારે ફજેતી પણ આવે છે; પણ નમ્ર જનો પાસે જ્ઞાન હોય છે.” (નીતિવચનો ૧૧:૨) દુષ્ટ લોકોનો બદલો લેવાનું કામ ઈશ્વર પર છોડી દઈએ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો