-
શું બાઇબલ ઈશ્વર પાસેથી આવે છે?ચોકીબુરજ—૨૦૧૦ | મે ૧
-
-
‘આખું શાસ્ત્ર ઈશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે; જેથી ઈશ્વરનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારાં કામ કરવાને સારૂ તૈયાર થાય.’—૨ તીમોથી ૩:૧૬, ૧૭.
બાઇબલ કેટલું મૂલ્યવાન છે, એ ઈશ્વરભક્ત પાઊલના ઉપર જણાવેલા જોરદાર શબ્દોથી દેખાઈ આવે છે. જોકે પાઊલ પાસે આખું બાઇબલ ન હતું, પણ અહીંયા તે જે ભાગની વાત કરી રહ્યા હતા એને ઘણા લોકો “જૂનો કરાર” તરીકે ઓળખે છે. પણ પાઊલના એ શબ્દો બાઇબલના બધા જ ૬૬ પુસ્તકોને લાગુ પડે છે. એમાં ઈસુના શિષ્યોએ પહેલી સદીમાં લખેલાં પુસ્તકો પણ આવી જાય છે.
પાઊલની જેમ શું તમે પણ બાઇબલને મૂલ્યવાન ગણો છો? શું તમે માનો છો કે લેખકોએ ઈશ્વરની પ્રેરણાથી બાઇબલ લખ્યું હતું? પહેલી સદીના ખ્રિસ્તીઓ એમ માનતા હતા. ત્યારથી લઈને આજ સુધી ઈસુને પગલે ચાલતા ખ્રિસ્તીઓ એ જ માનતા આવ્યા છે. દાખલા તરીકે, ચૌદમી સદીના અંગ્રેજ પાદરી જોન વિકલીફ માનતા હતા કે ‘બાઇબલ સત્યનો માપદંડ છે, જેનાથી તમે ખરું-ખોટું પારખી શકો.’ ઉપર જણાવેલા પાઊલના શબ્દો પર ટીકા આપતા ધ ન્યૂ બાઇબલ ડિક્શનરી જણાવે છે: બાઇબલ ઈશ્વરની ‘પ્રેરણાથી લખાયું હોવાથી ખાતરી થાય છે કે એમાં જે કંઈ જણાવ્યું છે, એ સત્ય જ છે.’
-
-
બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છેચોકીબુરજ—૨૦૧૦ | મે ૧
-
-
ઈશ્વરભક્ત પાઊલે જ્યારે કહ્યું કે બાઇબલ “ઈશ્વરપ્રેરિત” છે, ત્યારે તે ખરેખર શું કહેવા માગતા હતા? (૨ તીમોથી ૩:૧૬) અહીંયા પાઊલે જે ગ્રીક શબ્દનો ઉપયોગ કર્યો હતો, એનો અર્થ થાય, ‘ઈશ્વરના શ્વાસથી’ લખાયું. આમ પાઊલ કહેતા હતા કે ઈશ્વરે પોતાના વિચારો લખી લેવા અમુક ભક્તોને પ્રેરણા આપી હતી. એટલે બાઇબલમાં માણસોના નહિ, ઈશ્વરના જ વિચારો છે.
-