-
પુનર્નિયમ ૬:૧૦-૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ “તારા ઈશ્વર યહોવા તને એ દેશમાં લઈ જશે, જે વિશે તેમણે તારા બાપદાદા ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ સમ ખાધા હતા.+ ત્યાં મોટાં મોટાં અને સરસ શહેરો છે, જે તેં બાંધ્યાં નથી;+ ૧૧ સારી સારી વસ્તુઓથી ભરેલાં ઘરો છે, જે માટે તેં મહેનત કરી નથી; ટાંકાઓ* છે, જે તેં ખોદ્યા નથી; દ્રાક્ષાવાડીઓ અને જૈતૂનનાં ઝાડ છે, જે તેં રોપ્યાં નથી. જ્યારે તું ધરાઈને તૃપ્ત થાય,+ ૧૨ ત્યારે ધ્યાન રાખજે કે તું યહોવાને ભૂલી ન જાય.+ તે તને ઇજિપ્તમાંથી, હા, ગુલામીના ઘરમાંથી બહાર કાઢી લાવ્યા છે.
-
-
અયૂબ ૩૧:૨૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૪ જો મેં સોના પર ભરોસો રાખ્યો હોય,
અથવા ચોખ્ખા સોનાને કહ્યું હોય, ‘તું મને સલામત રાખે છે!’+
-
-
અયૂબ ૩૧:૨૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૮ તો મેં સ્વર્ગના ઈશ્વરનો નકાર કર્યો હોત,
અને એ ગુના માટે મને ન્યાયાધીશો પાસેથી સજા મળી હોત.
-