વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w13 ૧૦/૧ પાન ૩
  • ઘણા નિર્દોષ લોકોનું જીવન છીનવાઈ ગયું!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઘણા નિર્દોષ લોકોનું જીવન છીનવાઈ ગયું!
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • સરખી માહિતી
  • સવાલ ૩: તમે મારા પર દુઃખ કેમ આવવા દો છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • શા માટે આટલું બધું દુઃખ?
    સજાગ બનો!—૨૦૧૨
  • વિષય
    સજાગ બનો!—૨૦૨૦
  • પરમેશ્વર કેમ દુઃખો ચાલવા દે છે?
    સજાગ બનો!—૨૦૦૪
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
w13 ૧૦/૧ પાન ૩

મુખ્ય વિષય: કેમ આટલું બધું દુઃખ? શું એનો અંત આવશે?

ઘણા નિર્દોષ લોકોનું જીવન છીનવાઈ ગયું!

નાની નોયેલ બધાની લાડલી હતી. તેને ચિત્ર દોરવું બહુ ગમતું. ઉનાળાની એક સાંજે તે ઘરની પાછળના ભાગમાં રમતી હતી. અચાનક તે ઘરના સ્વીમીંગ પુલમાં ગબડી પડી અને ડૂબી ગઈ. તેના ચોથા જન્મ દિવસને બે અઠવાડિયા જ બાકી હતા.

ડિસેમ્બર ૧૪, ૧૯૧૨ના કનેક્ટિકટ શહેરના એક સ્કૂલમાં થયેલા ગોળીબારના લીધે ૨૦ બાળકો સહિત ૨૬ના મોત થયા હતા. તેઓમાં ૬-૭ વર્ષના ૨૦ બાળકોમાંના અમુક છે: શારલટ, દાનિયેલ, ઓલીવાયા અને જોસફિન. તેઓની પ્રાર્થના સભામાં પ્રમુખ ઓબામાએ બાળકોના નામ લીધા અને શોક પાળતા લોકોને આમ કહ્યું: “આ પ્રકારની ક્રૂર ઘટનાઓનો અંત આવવો જ જોઈએ.”

અઢાર વર્ષની બાનૉ ૧૯૯૬માં કુટુંબ સાથે ઇરાક છોડીને નૉર્વેમાં રહેવા ગઈ. તેના મિત્રો લાડથી તેને સન રેઝ કહેતા. જુલાઈ ૨૨, ૨૦૧૧ના ગોળીબારમાં ૭૭ લોકો માર્યા ગયા. દુઃખની વાત છે કે એમાં બાનૉ પણ હતી. ગોળીબાર કરનારે બડાઈ હાંકતા કહ્યું: “હું વધારે લોકોને મારી ન શક્યો એનું મને દુઃખ છે.”

એવી જ રીતે, દુનિયામાં ચારે બાજુ હૃદય કંપાવી નાખતા બનાવો જોવા મળે છે. કલ્પના કરો કે અકસ્માત, ગુના, યુદ્ધો, આતંકવાદ, અણધારી આફતો અને અનેક ઘટનાઓથી કેટલું દુઃખ થાય છે. મોટા ભાગે કોઈ કારણ વગર અગણિત નિર્દોષ લોકોનું જીવન ટૂંકાવી દેવામાં આવે છે અને ખૂબ દુઃખ સહેવું પડે છે.

અમુક લોકો ઈશ્વરને દોષ આપે છે. તેઓને લાગે છે કે આપણા સર્જનહારને મનુષ્યોની કંઈ પડી નથી. બીજાઓનું માનવું છે કે ઈશ્વર આપણું દુઃખ જુએ છે પણ એને નજર અંદાજ કરે છે. વળી, કેટલાકનું માનવું છે કે આવી આફતો નસીબમાં લખાઈ છે. દુઃખ તકલીફો વિશે લોકોના અલગ અલગ વિચારો છે. તો પછી, ભરોસાપાત્ર અને સંતોષ આપતા જવાબો ક્યાંથી મેળવી શકીએ? હવે પછીના લેખમાં આપણે ઈશ્વરનું વચન, બાઇબલમાંથી જોઈશું કે દુઃખ પાછળનાં કારણો શું છે અને કઈ રીતે એનો અંત આવશે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો