વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w19 જૂન પાન ૩૧
  • જૂનો વીંટો ‘ખોલવામાં આવ્યો’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂનો વીંટો ‘ખોલવામાં આવ્યો’
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • સરખી માહિતી
  • ઈશ્વરનો સંદેશો જાહેર કરવામાં હઝકીએલને આનંદ મળતો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • મૃત સમુદ્રના વીંટાઓ શા માટે તમારે એમાં રસ લેવો જોઈએ?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
w19 જૂન પાન ૩૧
બળી ગયેલો એન ગેડીનો વીંટો; એન ગેડીનો ખુલ્લો વીંટો

જૂનો વીંટો ‘ખોલવામાં આવ્યો’

૧૯૭૦માં એન ગેડીનો વીંટો મળ્યો હતો. એના બળેલા ટુકડા વંચાય એવા ન હતા. કોમ્પ્યુટરની મદદથી ખબર પડી કે એ લેવીયના પુસ્તકનો ભાગ છે. એ વીંટામાં ઈશ્વરનું નામ છે

ઈસવીસન ૧૯૭૦માં ઇઝરાયેલમાં મૃત સરોવરના પશ્ચિમ કિનારા પાસે એન ગેડી નામની જગ્યાએથી નિષ્ણાતોને બળી ગયેલો વીંટો મળી આવ્યો હતો. તેઓને એ વીંટો એક યહુદી સભાસ્થાનના (સિનેગોગ) ખોદકામ દરમિયાન મળ્યો. આશરે છઠ્ઠી સદીમાં એ ગામનો નાશ કરવામાં આવ્યો ત્યારે એ સભાસ્થાનને સળગાવી દેવામાં આવ્યું હતું. બળેલા વીંટાની હાલત એટલી ખરાબ હતી કે કંઈ વંચાય એમ ન હતું. જો વાળવાની કોશિશ કરવામાં આવે તો એ ફાટી જાય એવો હતો. પણ, એ સમયે ટૅક્નોલૉજી કામમાં આવી. થ્રી-ડી સ્કેનિંગથી એ વીંટો ‘ખોલવામાં આવ્યો.’ કોમ્પ્યુટરના નવા સોફ્ટવેરની મદદથી એનું લખાણ વાંચવું શક્ય બન્યું.

કેવું લખાણ હતું, એ વીંટા પર? એના પર બાઇબલનું લખાણ હતું. એ બળી ગયેલા વીંટા પર અમુક જ કલમો બચી હતી. એ કલમો લેવીયના પુસ્તકના શરૂઆતના ભાગની હતી. એ કલમોમાં ઈશ્વરનું નામ હિબ્રૂ ભાષામાં લખેલું હતું. ચાર હિબ્રૂ મૂળાક્ષરો (યહવહ) વપરાયા હતા. એમ લાગે છે કે એ વીંટો પહેલી સદીના બીજા ભાગથી લઈને ચોથી સદીની વચ્ચે લખાયો હશે. કૂમરાન હસ્તપ્રતો પછી, એ વીંટો બાઇબલનો સૌથી જૂનો હિબ્રૂ વીંટો કહી શકાય. ધ જેરૂશાલેમ પોસ્ટ નામના મૅગેઝિનમાં ગીલ જોહર લખે છે: ‘મૃત સરોવરના વીંટાઓ આશરે ઈ.સ. પૂર્વે ૧૦૦ના હતા. અલેપ્પો કોડેક્ષ આશરે ઈ.સ. ૯૩૦નું હતું. એ બંને લખાણો વચ્ચેના આશરે ૧૦૦૦ વર્ષના સમયગાળામાં લખાયું હોય, એવું બીજું કોઈ સાહિત્ય પ્રાપ્ય ન હતું. એક ખાલી જગ્યા હતી. આ જગ્યા હવે એન ગેડીના વીંટાથી પૂરાઈ ગઈ.’ નિષ્ણાતો જણાવે છે કે, આ વીંટો ખુલવાથી ખબર પડે છે કે મુસાનાં પુસ્તકો (તોરાહ) ‘સદીઓ સુધી સચવાઈ રહ્યાં છે. નકલ બનાવનારની ભૂલોની એના પર અસર પડી નથી.’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો