Comstock Images/Stockbyte via Getty Images
ખાસ ઝુંબેશ
ઈશ્વરનું રાજ્ય કઈ રીતે ભ્રષ્ટાચાર દૂર કરશે?
આજે લોકો ભ્રષ્ટ નેતાઓથી કંટાળી ગયા છે. તેઓ એવા નેતાઓ ચાહે છે જેમના પર ભરોસો મૂકી શકાય. દુનિયાના અલગ-અલગ દેશોમાં એક સર્વે કરવામાં આવ્યો જેના વિશે ૨૦૨૩માં છાપવામાં આવ્યું. એ સર્વેમાં લોકોએ જણાવ્યું કે તેઓ નેતાઓ પર સૌથી ઓછો ભરોસો મૂકે છે.a
બાઇબલમાં એક સરકાર વિશે જણાવ્યું છે. ભ્રષ્ટ ન હોય એવી ઇમાનદાર અને ભરોસાપાત્ર વ્યક્તિ એને ચલાવશે. એ સરકાર ઈશ્વરનું રાજ્ય છે, જેના આગેવાન ઈસુ છે.—યશાયા ૯:૭.
ઈસુ જ્યારે પૃથ્વી પર હતા, ત્યારે તેમણે પોતાના કાર્યોથી બતાવી આપ્યું કે તેમને લોકોની ચિંતા છે. (માથ્થી ૯:૩૫, ૩૬) ઈશ્વરના રાજ્યના રાજા તરીકે તે એવા દરેક લોકોને ન્યાય અને શાંતિ આપશે જેઓ તેમને રાજા માને છે.—ગીતશાસ્ત્ર ૭૨:૧૨-૧૪.
a ૨૦૨૩ એડલ્મેન ટ્રસ્ટ બેરોમીટર ગ્લોબલ રિપોર્ટ.