વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
તમારું સ્વાગત છે!
યહોવાના સાક્ષીઓએ અલગ અલગ ભાષાઓમાં બહાર પાડેલાં સાહિત્યમાંથી સંશોધન કરવા એ તૈયાર કરવામાં આવી છે.
સાહિત્ય ડાઉનલોડ કરવા, jw.org પર જાઓ.
જાહેરાત
નવી ભાષા: Betsileo
  • આજે

મંગળવાર, ઑક્ટોબર ૨૮

“[યહોવા] તમને સ્થિર કરશે.”—૧ પિત. ૫:૧૦.

આખી માણસજાત પર મુશ્કેલીઓ અને બીમારીઓનો કહેર તૂટી પડે છે. યહોવાના સેવકો પણ એમાંથી બાકાત નથી. એ ઉપરાંત, યહોવાની ભક્તિ કરતા હોવાને લીધે વિરોધ અથવા સતાવણીનો સામનો કરવો પડે છે. ખરું કે, યહોવા આપણા પર મુશ્કેલીઓ આવતી રોકતા નથી, પણ તે મદદ કરવાનું વચન આપે છે. (યશા. ૪૧:૧૦) તેમની મદદથી આપણે આનંદ જાળવી શકીએ છીએ, સારા નિર્ણયો લઈ શકીએ છીએ અને કપરા સંજોગોમાં પણ તેમને વફાદાર રહી શકીએ છીએ. યહોવા શાંતિ આપવાનું વચન આપે છે. એને બાઇબલમાં “ઈશ્વરની શાંતિ” કહી છે. (ફિલિ. ૪:૬, ૭) એ શાંતિ યહોવા સાથેના સંબંધને લીધે જ મળે છે. એ આપણી “સમજશક્તિની બહાર” છે. એને શબ્દોમાં વર્ણવી શકાતી નથી. શું તમારી સાથે કદી એવું બન્યું છે કે, તમે યહોવાને કરગરીને પ્રાર્થના કરી હોય અને પછી તમારું મન શાંત થઈ ગયું હોય? ‘ઈશ્વરની શાંતિને’ લીધે તમે એવું અનુભવ્યું. w૨૪.૦૧ ૨૦ ¶૨; ૨૧ ¶૪

દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૫

બુધવાર, ઑક્ટોબર ૨૯

“હે મારા જીવ, યહોવાની સ્તુતિ કર. મારું રોમેરોમ તેમના પવિત્ર નામનો જયજયકાર કરે.”—ગીત. ૧૦૩:૧.

યહોવાને પ્રેમ કરતા લોકો પૂરા દિલથી તેમના નામની સ્તુતિ કરવા માંગે છે. દાઉદ રાજા જાણતા હતા કે યહોવાના નામની સ્તુતિ કરવી એટલે યહોવાની સ્તુતિ કરવી. યહોવાના નામ વિશે વિચારીએ છીએ ત્યારે, આપણાં મનમાં શું આવે છે? તેમનો સ્વભાવ, તેમના સરસ ગુણો અને તેમનાં મહાન કામો. દાઉદ ચાહતા હતા કે યહોવાનું નામ પવિત્ર મનાય અને એની સ્તુતિ થાય. તે ચાહતા હતા કે તેમનું “રોમેરોમ” યહોવાના નામની સ્તુતિ કરે, એટલે કે તે પૂરા દિલથી યહોવાના ગુણગાન ગાય. લેવીઓએ પણ યહોવાની સ્તુતિ કરવામાં સારો દાખલો બેસાડ્યો. તેઓએ નમ્રતાથી સ્વીકાર્યું કે તેઓ યહોવાના પવિત્ર નામની જેટલી સ્તુતિ કરે એટલી ઓછી છે. (નહે. ૯:૫) એમાં કોઈ શંકા નથી કે એવી સ્તુતિથી યહોવા બહુ ખુશ થયા હશે. w૨૪.૦૨ ૯ ¶૬

દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૫

ગુરુવાર, ઑક્ટોબર ૩૦

“આપણે જે હદે પ્રગતિ કરી છે, એ પ્રમાણે આપણે કરતા રહીએ.”—ફિલિ. ૩:૧૬.

તમારા માટે કોઈ ધ્યેય પૂરો કરવો શક્ય જ ન હોય તો, યાદ રાખો કે યહોવા ક્યારેય એવું નહિ વિચારે કે તમે નિષ્ફળ ગયા છો. (૨ કોરીં. ૮:૧૨) મુશ્કેલીઓમાંથી શીખીએ. તમે અત્યાર સુધી જે કર્યું છે એને યાદ રાખો. બાઇબલમાં લખ્યું છે, ‘ઈશ્વર એવા અન્યાયી નથી કે તમારાં કામોને ભૂલી જાય.’ (હિબ્રૂ. ૬:૧૦) એટલે તમે પણ તમારાં કામોને ભૂલશો નહિ. જરા વિચારો, અત્યાર સુધી તમે કયા ધ્યેયો પૂરા કર્યા છે. જેમ કે, તમે યહોવાના દોસ્ત બન્યા છો, તેમના વિશે બીજાઓને જણાવો છો અને બાપ્તિસ્મા લીધું છે. જેમ તમે અત્યાર સુધી પ્રગતિ કરી છે અને ધ્યેયો પૂરા કર્યા છે, તેમ આગળ પણ પ્રગતિ કરી શકશો અને ધ્યેયો પૂરા કરી શકશો. તમે યહોવાની મદદથી ધ્યેયો પૂરા કરી શકો છો. તમે તમારા ધ્યેયો પૂરા કરવા મહેનત કરો ત્યારે, જુઓ કે યહોવા તમને કઈ રીતે મદદ કરે છે અને આશીર્વાદ આપે છે. એનાથી તમે ખુશી મેળવી શકશો. (૨ કોરીં. ૪:૭) જો તમે હિંમત નહિ હારો, તો તમને અઢળક આશીર્વાદો મળશે.—ગલા. ૬:૯. w૨૩.૦૫ ૩૧ ¶૧૬-૧૮

દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૫
તમારું સ્વાગત છે!
યહોવાના સાક્ષીઓએ અલગ અલગ ભાષાઓમાં બહાર પાડેલાં સાહિત્યમાંથી સંશોધન કરવા એ તૈયાર કરવામાં આવી છે.
સાહિત્ય ડાઉનલોડ કરવા, jw.org પર જાઓ.
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો