યહોશુઆ
૧૬ યૂસફના વંશજોને+ જે વિસ્તાર ચિઠ્ઠીઓ નાખીને હિસ્સામાં મળ્યો હતો,+ એની હદ યરીખો પાસે યર્દનથી શરૂ થઈને યરીખોની પૂર્વ તરફ આવેલા ઝરાઓ સુધી હતી. એ યરીખોથી ઉપર વેરાન પ્રદેશમાં થઈને બેથેલના પહાડી પ્રદેશમાં જતી હતી.+ ૨ એ લૂઝ પાસે આવેલા બેથેલથી અટારોથમાં આર્કીઓની સરહદ સુધી ફેલાયેલી હતી. ૩ પછી એ નીચે પશ્ચિમ તરફ યાફલેટીઓની સરહદ સુધી અને છેક નીચલા બેથ-હોરોન+ તથા ગેઝેરની+ સરહદ સુધી હતી; એ મોટા સમુદ્ર* પાસે પૂરી થતી હતી.
૪ આમ યૂસફના વંશજો+ મનાશ્શા અને એફ્રાઈમે પોતાનો વિસ્તાર લીધો.+ ૫ એફ્રાઈમના વંશજોને પોતાનાં કુટુંબો પ્રમાણે જે વારસો મળ્યો, એની હદ આ હતી: પૂર્વમાં એ હદ અટારોથ-આદ્દારથી+ છેક ઉપલા બેથ-હોરોન સુધી હતી;+ ૬ એ મોટા સમુદ્ર સુધી ફેલાયેલી હતી. ઉત્તરે મિખ્મથાથ+ હતું. પૂર્વમાં એ સરહદ તાઅનાથ-શીલોહ તરફ વળીને ત્યાંથી પૂર્વમાં યાનોઆહમાં જતી હતી. ૭ એ યાનોઆહથી નીચે અટારોથ અને નાઅરાહ થઈને યરીખો+ અને યર્દન સુધી પહોંચતી હતી. ૮ એ હદ તાપ્પૂઆહથી+ પશ્ચિમમાં કાનાહના વહેળા સુધી જઈને મોટા સમુદ્ર પાસે પૂરી થતી હતી.+ એફ્રાઈમના કુળનો તેઓનાં કુટુંબો પ્રમાણે એ વારસો હતો. ૯ એમાં મનાશ્શાના વારસાની વચ્ચે એફ્રાઈમના વંશજો માટે અલગ રાખેલાં બધાં શહેરો અને ગામડાઓનો પણ સમાવેશ થતો હતો.+
૧૦ પણ એફ્રાઈમીઓએ ગેઝેરમાં રહેતા કનાનીઓને હાંકી કાઢ્યા નહિ.+ કનાનીઓ આજ સુધી એફ્રાઈમમાં રહે છે+ અને ગુલામો તરીકે કામ કરે છે.+