વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g25 નં. ૧ પાન ૧૦-૧૧
  • જીવનમાં સંતોષ રાખો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જીવનમાં સંતોષ રાખો
  • સજાગ બનો!—૨૦૨૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • એ કેમ જરૂરી છે?
  • તમે શું કરી શકો?
  • શું તમે ‘સંતોષથી રહેવાનું રહસ્ય શીખ્યા’ છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • શું સંતોષથી રહેવું શક્ય છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • સંતોષ માનીએ
    સજાગ બનો!—૨૦૨૧
  • પૈસાની સમસ્યા અને દેવું—શું બાઇબલ મદદ કરી શકે?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૨૫
g25 નં. ૧ પાન ૧૦-૧૧
ચિત્રો: ૧. એક પિતા બાંધકામનું કામ પતાવીને ખુશી ખુશી પાછા જઈ રહ્યા છે. ૨. પછીથી તે પોતાનાં બે બાળકો અને પોતાના કૂતરા સાથે ઘરની બહાર રમી રહ્યા છે. તેમની પત્ની તેઓને જોઈને ખુશ છે.

મોંઘવારીનો સામનો કઈ રીતે કરી શકો?

જીવનમાં સંતોષ રાખો

તમે સાંભળ્યું હશે, સંતોષી વ્યક્તિ સદા સુખી! એવી વ્યક્તિ સંજોગો બદલાય ત્યારે જીવનમાં ફેરફાર કરી શકે છે અને થોડામાં જીવી શકે છે.

એ કેમ જરૂરી છે?

જેસીકા કોલર મનોચિકિત્સક છે. તેમણે જોયું છે કે સંતોષી લોકો હંમેશાં સારું વિચારે છે અને એવા લોકોને બીજાઓની બહુ ઈર્ષા થતી નથી. એટલે એમાં કોઈ નવાઈ નથી કે સંતોષી લોકો મોટા ભાગે ખુશ હોય છે અને તેઓને ઓછી ચિંતા સતાવે છે. હકીકતમાં, જેઓ પાસે થોડું હોય છે, તેઓ વધારે ખુશ હોય છે. એનું કારણ એ કે તેઓ એવી બાબતોને મહત્ત્વની ગણે છે જે પૈસાથી ખરીદી શકાતી નથી, જેમ કે કુટુંબ અને મિત્રો સાથે સમય પસાર કરવાથી મળતો આનંદ.

“જે ખોરાક અને કપડાં મળે, એમાં આપણે સંતોષ માનીએ.”—૧ તિમોથી ૬:૮.

તમે શું કરી શકો?

દેખાદેખી ન કરો. એશઆરામથી જીવતા લોકોને જોઈને એવું ન વિચારશો કે તેઓ પાસે ઘણું છે અને તમારી પાસે કંઈ જ નથી. એવી સરખામણી કરશો તો સંતોષ નહિ રાખી શકો, અરે ઈર્ષા પણ થવા લાગશે. બની શકે તમે જેવું વિચારતા હો એવું ન પણ હોય. અમુક લોકો પૈસાદાર દેખાતા હોય, પણ હકીકતમાં તેઓ દેવામાં ડૂબેલા હોય. સેનેગલમાં રહેતાં નિકોલબહેન કહે છે: “ખુશ રહેવા મને વધારે વસ્તુઓની જરૂર નથી. હું જીવનમાં સંતોષ રાખું છું. એટલે બીજાઓ પાસે ભલે ઢગલો વસ્તુઓ હોય, પણ હું થોડામાં ખુશ રહી શકું છું.”

અજમાવી જુઓ: એવી જાહેરાતો અને સોશિયલ મીડિયા પર આવતી બાબતો જોવાનું ટાળો, જેમાં બતાવ્યું હોય કે લોકો કેટલા અમીર છે અને કેટલા એશઆરામથી જીવે છે.

“ભલે કોઈની પાસે ઘણું હોય, તોપણ મિલકતથી તેને જીવન મળતું નથી.”—લૂક ૧૨:૧૫.


આભાર માનો. પોતાની પાસે જે છે એની કદર કરતા લોકો જીવનમાં સંતોષ રાખી શકે છે. તેઓ એવું નથી વિચારતા કે ‘મને આ જોઈએ છે, પેલું જોઈએ છે’ અથવા ‘આ તો મારી પાસે હોવું જ જોઈએ.’ હૈતી દેશમાં રહેતા રૉબર્ટોનભાઈ કહે છે: “બીજાઓએ મને અને મારા કુટુંબને કેટલી મદદ કરી છે એના પર વિચાર કરવા હું સમય કાઢું છું. પછી હું તેઓનો દિલથી આભાર માનું છું. મારા આઠ વર્ષના દીકરાને પણ શીખવું છું કે તેને કોઈ વસ્તુ મળે ત્યારે થેંક્યું કહેવું જોઈએ.”

અજમાવી જુઓ: દરરોજ એ બાબતો લખી લો જે માટે તમે આભારી છો. જેમ કે, સારી તંદુરસ્તી, વહાલું કુટુંબ, સાચા દોસ્તો અથવા ડૂબતા સૂરજનો જોરદાર નજારો.

“ખુશ મનવાળો રોજ મિજબાની માણે છે.”—નીતિવચનો ૧૫:૧૫.

આપણી પાસે જે છે એમાં સંતોષ રાખવો અમુક વાર અઘરું લાગી શકે. પણ આપણે કોશિશ કરતા રહેવું જોઈએ. સંતોષ રાખવાનું શીખીશું તો ખુશ રહી શકીશું. આ એવી ખુશી છે જે પૈસાથી ખરીદી શકાતી નથી.

એરીક.

“અમારું કુટુંબ સંતોષ રાખવાનું શીખ્યું છે. સાચે જ, એ અમારા માટે મોટો આશીર્વાદ છે. સંતોષ રાખવાને લીધે અમારા જીવનની ભાગદોડ ઓછી થઈ ગઈ છે, અમે એકબીજા સાથે વધારે સમય વિતાવી શકીએ છીએ અને જેટલું છે એમાં ખુશ રહી શકીએ છીએ.”—એરીક, યુ.એસ.એ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો